ગુજરાતમાં વરસાદનો કહેર: ડીસાથી ધોળકા સુધી જળબંબાકાર સ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બનાસકાંઠાના ડીસા, આણંદ જિલ્લાના બોરસદ, અમદાવાદ શહેર તેમજ ધોળકા તાલુકાના વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ સ્થાનિક તંત્ર, પોલીસ અને રાહત ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીસામાં રસ્તાઓ બન્યા નદી, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ટ્રીઝમેન્ટ પ્લાન્ટથી જલારામ મંદિર સર્કલ સુધીના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક…

પાલનપુરમાં વિકાસના કામો રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે | #bindia

લાખો રૂપિયાનો રસ્તો, બે મહિના માં ખોદાયો ભૂગર્ભ ગટર ભૂલાયું અને જનતાના પૈસાનો વેડફાટ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા પાલનપુર પાલિકાની નીતિ સામે ઉભો થયો પ્રશ્નચિહ્ન (અહેવાલ – LAXMANJI THAKOR )     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

વિરમપુરમાં રાજ્યપાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, પ્રાકૃતિક ખેતીને આપ્યું પ્રોત્સાહન

બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા…

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ, જાણો વિશેષતા

ઉત્તરકાશી સ્થિત આશરે 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે. આ પવિત્ર કાર્ય આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના કરકમલે આગામી 17 જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી 21 જાન્યુઆરી સુધી બપોરે 3.00 થી સાંજે 8.00 વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે…

Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી. હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો,…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના

ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 તાલુકાની રચના સાથે જ કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે નાગરિકોની સરળતાને ધ્યાને રાખીને એક સાથે નવા 17 તાલુકાની રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવા 17 તાલુકાઓ બનવાથી વહીવટી તંત્ર નાગરિકોની વધુ નજીક આવશે અને વિકાસ કાર્યોને વેગ મળી શકે છે. રાજ્યમાં આ તાલુકાની રચના કરવામાં આવી વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે. બનાસકાંઠા…

Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે.…

રાજ્યને મળશે વધુ એક તાલુકો ! શંકર ચૌધરીએ જાણો શું આપ્યો સંકેત

રાજ્યમાં બનાસકાંઠાના વિભાજન બાદ વાવ- થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જાહેરાતને લઈને ધાનેરા, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિત અનેક તાલુકાઑએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હવે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. રાહ ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગ દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે થરાદનો વિકાસ કરવામાં આવ્યો છે. રાહના સંકેતો આપતા કહ્યું કે, જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું…

Banaskantha: ડીસા GIDCમાં મોતનું તાંડવ, ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 19 લોકોએ ગુમાવ્યા જીવ

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી…