રાજ્યને મળશે વધુ એક તાલુકો ! શંકર ચૌધરીએ જાણો શું આપ્યો સંકેત

રાજ્યમાં બનાસકાંઠાના વિભાજન બાદ વાવ- થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જાહેરાતને લઈને ધાનેરા, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિત અનેક તાલુકાઑએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હવે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે.

રાહ ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગ દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે થરાદનો વિકાસ કરવામાં આવ્યો છે. રાહના સંકેતો આપતા કહ્યું કે, જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું પડેને

આ પહેલા પણ આપ્યા હતા સંકેત
ફેબ્રુઆરી મહિનામાં થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામપંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સંબોધન કરતાં શંકર ચૌધરી એ કહ્યું હતું કે થોડા દિવસો માં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે. જેને લઈને રાહ તાલુકો બનશે એવો ઇશારો શંકર ચૌધરી એ કર્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

#SHOCKING NEWS: અમદાવાદ-બગોદરા રોડ પર અકસ્માત, એકનું મોત

  અમદાવાદ થી બગોદરા -લીંમડી રોડપર ભયંકર અકસ્માત થયો. એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મુત્યુ થયું. આ ઘટના ટોલનાકા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. ઘણીવાર આવા અકસ્માત થતા કોઈ મદદ માટે આગળ નથી આવતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *