Banaskantha : બનાસકાંઠામાં આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક, દસ લોકોને ભર્યા બચકા

બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામે એક સાથે શ્વાને દસ લોકોને બચકા ભર્યા છે. આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાને દસ લોકોને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ધાનેરાના આલવાડા ગામે શ્વાનના આતંકથી સૌ કોઈ કંટાળી ગયા છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, તંત્રને રખડતા શ્વાનને લઈ વારંવાર રજૂઆત કરી તેમ છત્તા કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, જે લોકોને બચકા ભર્યા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. તો શ્વાને પશુ અને લોકો પર હુમલો અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. હડકાયા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.…

ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

–>26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું:–     ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે સિન્ધી સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી 60થી વધું બ્લડ બોટલ જમા કરાવી હતી. સિંધી સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ લોગમલ થરિયાણી ઉપપ્રમુખ રૂપચંદ ભાઈ કકનાની ઉપપ્રમુખ વિનોદ ભાઈ ફૂલવાની મંત્રી જગદીશ ભાઈ ફુલવાની બ્લડ કેમ્પના આયોજક સિંધી સમાજના વિજયકુમાર દોલતરામ હેમનાણી ભરત ભાઈ આસનની હરેશભાઈ કેલવાની ડોકટર વિજયભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા.  

ભાભર મુકામે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે નો કેમ્પ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16/1/2025 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભાભર મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. જે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાયો હતો.     આ કાર્યક્રમમાં  દિવ્યાંગ ના આશરે 250 જેવા કેસ જોવામાં આવ્યા હતા.અને જેઓને જે પ્રમાણે દિવ્યાંગતા હોય એ પ્રમાણે એમને ટકાવારી પ્રમાણે સર્ટી આપવામાં આવ્યાહતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

BANASKANTHA : ગુજરાતનો વધુ એક જીલ્લો બન્યો થરાદ, સત્તાવાર જાહેરાત આજે 4:00 કલાકે થશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે.     હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા:      સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ…