Banaskantha : શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

હરેશ ઠક્કર, બનાસકાંઠા/ આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવનદર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો.

આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી અતુલભાઈ દૈયા અને રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ રાજપુત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી રણજીતભાઈ વાઘેલા, વર્ધાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી.

હરેશભાઈ ઠક્કર (મીડિયા કન્વીનર), વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો. “ઉઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહીં” જેવી સ્વામી વિવેકાનંદજીની અમર વાણી સાથે યુવાનોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો.

કાર્યક્રમ દરમિયાન “ભારત માતાની જય” અને “સ્વામી વિવેકાનંદજી અમર રહો”ના ગગનભેદી નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું અને એક અલૌકિક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં પરંતુ યુવાનોને રાષ્ટ્રસેવા, સમાજસેવા અને આત્મવિકાસ તરફ પ્રેરિત કરતો એક સશક્ત સંકલ્પ બની રહ્યો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…