Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.

વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મે મહિનાના પ્રથમ દિવસે જ કચ્છના ભચાઉમાં વહેલી સવારે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બીજી તરફ આજે એટલે કે 3 મેના રોજ વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

કેન્દ્રીય મંત્રીમંડળના ચાર મોટા નિર્ણયો: PM-Kisanને 5 વર્ષની મુદતવધારો, ‘સમુદ્ર મંથન’ યોજનાને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં ખેડૂતોની આર્થિક સુરક્ષા, સ્વચ્છ ઊર્જાના પ્રોત્સાહન, રમતગમતના વિકાસ અને દરિયાઈ અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મહત્વપૂર્ણ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયો દેશના કરોડો નાગરિકો માટે લાભદાયી સાબિત થશે અને વિવિધ ક્ષેત્રોના વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય મંત્રીમંડળના PM-Kisan યોજનાને પાંચ વર્ષનો વધારો કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મંત્રીમંડળની બેઠકમાં સરકારના જણાવ્યા મુજબ, યોજના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *