ઉડ્ડયન ક્ષેત્રે અમુક કંપનીઓનું વર્ચસ્વ ઘટશે? સરકારે આ નવી એરલાઇન્સને આપી મંજૂરી

ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટી બાદ, સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કેટલીક કંપનીઓના વર્ચસ્વમાંથી મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી, ભારતનું ઉડ્ડયન બજાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન કંપનીઓના વર્ચસ્વ અથવા ‘ડ્યુપોલી’ સુધી સીમિત હતું. સરકારના તાજેતરના પગલાથી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. બજારમાં સ્પર્ધા વધારવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે નવી એરલાઇન્સને લીલી ઝંડી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અલ-હિંદ એર અને ફ્લાયએક્સપ્રેસને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કર્યા છે. ઉત્તર પ્રદેશ સ્થિત શંખ એર પણ 2026 માં કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ એરલાઇનને પહેલાથી જ NOC મળી ચૂક્યું છે. ઉડ્ડયન ક્ષેત્રમાં એકાધિકારનો અંત લાવવાના પ્રયાસો  હાલમાં, ભારતીય આકાશમાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા અને ઇન્ડિગોનું પ્રભુત્વ છે. DGCA ના ડેટા અનુસાર, આ…

રાજ્યના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ મામલે વન મંત્રી મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે.…

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી એ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી. રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર સંજ્ઞાન (ધ્યાન) આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, કોર્ટે એ પણ ચુકાદો આપ્યો કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય આરોપીઓ FIR ની નકલ મેળવવાના હકદાર નથી. કોર્ટે ED ને તેની તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપી, સ્પષ્ટતા કરી કે ED ને વધુ તપાસ કરવાની સ્વતંત્રતા છે. તેણે એમ પણ કહ્યું કે ED નો કેસ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ અને મેજિસ્ટ્રેટના સમન્સના આદેશો પર આધારિત છે, FIR પર નહીં. જો કે, એજન્સી કેસ સંબંધિત તથ્યો અને પુરાવા એકત્રિત કરવાનું ચાલુ…

છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો…

સ્પાની આડમા કાળા કારોબાર પર રોક કયારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ વિવાંતા સ્પામાં પોલીસે નકલી ગ્રાહક મોકલીને ખેલ પાડ્યો મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો વૈષ્ણોદેવી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખ ધંધો AHTU પોલીસે બે દિવસમાં 3 કૂટણખાનાનો કર્યો પર્દાફાશ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રાજ્યમાં વન વિસ્તારમાં વાવેતરની કામગીરી પર ફોકસ, જાણો છેલ્લા 3 વર્ષનો ડેટા

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2025: આગામી 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતાં ગ્રીન કવર વધારવા માટે વ્યાપક પ્રમાણમાં વાવેતર અને પુનર્વનીકરણ કર્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું આ આગવું મૉડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન આવરણ વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં એક નોંધનીય પ્રયાસ વન વિસ્તારમાં વાવેતર વધારવાનો છે. વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ 1,04,270 હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની મિષ્ટી યોજનાના અમલીકરણમાં પણ ગુજરાત અગ્રેસર…

ક્યાં છે દારૂબંધી..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

અમદાવાદમાં નવા વર્ષની પૂર્વે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ 31stની ઉજવણી પહેલા અમદાવાદમાંથી ઝડપાયો કરોડોનો દારૂ ગામ્ય LCBએ ઝડપ્યો 2.2 કરોડનો વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાં પ્રતિબંધ છતાં નવા વર્ષની ઉજવણી માટે દારૂની હેરાફેરી વટામણ-બગોદરા હાઈવે પર ટ્રેલરની અંદર વિદેશી દારૂની હેરાફેરી વર્ષાંતના દિવસોમાં દારૂની હેરાફેરી વધતા ચેકિંગ કડક બનાવાયું Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની કરી તૈયારી, જાણો વિગત

હવાઈ ​​મુસાફરીમાં વિક્ષેપને લઈને સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે કોઈપણ એરલાઈનને મુસાફરોને હેરાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ, ઈન્ડિગોના રૂટમાં 5% ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇન્ડિગો કટોકટી પર લોકસભામાં બોલતા, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે, “કામગીરી ઝડપથી સ્થિર થઈ રહી છે, સલામતી સંપૂર્ણ રીતે કાર્યરત છે, ઇન્ડિગોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે, મુસાફરોના આરામ અને ગૌરવનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મુસાફરો-કેન્દ્રિત બનાવવા માટે લાંબા ગાળાના પગલાં લેવામાં આવી રહ્યા છે….” તેમણે કહ્યું, “ઈન્ડિગોની સમસ્યાઓ હવે ઉકેલાઈ રહી છે. દેશભરની અન્ય…

શિયાળામાં ફ્લોલેસ મેકઅપ..!| | GUJARATI NEWS BULLETIN

શિયાળાની ઠંડીમાં ત્વચા માટે એલર્ટ! મેકઅપ સાથે સ્કિનકેરનું ખાસ ધ્યાન રાખવું રૂમમાં ભેજ પાછો લાવવાનો સરળ ઉપાય – હ્યુમિડિફાયર શિયાળામાં ત્વચાની ચમક જાળવવા કુદરતી ઉપાય ફાયદેમંદ શિયાળામાં સુકાઈ જતી ત્વચા માટે રાખો ખાસ કાળજી Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in