Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી

ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રી સમક્ષ રજૂઆત જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી.…

BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ નથી ભરતા. બેબાક રીતે પોતાની વાત રજૂ કરે છે. ત્યારે આજે ફરી એક વાર સમાજની વાસ્તવિકતા સામે લાવ્યા છે. ડો. ભરત કાનાબારે દલિતોને સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. અંબેડકર જયંતીએ દલિતોની સામાજીક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

BJPના જ નેતાએ બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી કહ્યું કે, બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ ! ટ્વિટ કરતાં ડૉ. કાનાબારે વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કહ્યું કે, અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ !! ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચુવે તો જેમની ઊંઘ હરામ થઇ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ…

Amreli : અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા, કાપા મારવાનું કારણ અકબંધ

અમરેલીના મુંજિયાસર જેવી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની હતી. જેમાં સાત થી આઠ બાળકોએ બ્લેડ વડે હાથ પર કાપા માર્યા છે,જેના કારણે બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે કેમ કાપા માર્યા તેનું કારણ સામે આવ્યું નથી. જો કે, મોબાઇલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યાની આશંકા શાળાના સંચાલકો સેવી રહ્યાં છે,તો શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે. હાથ પર બ્લેડ મારતા બાળકોનું શાળામાં કાઉન્સેલિંગ કરાયું હતુ,તો બાળ સુરક્ષા અધિકારીની હાજરીમાં બાળકોનું કાઉન્સેલિંગ કરાયું છે.ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ હાથધરી છે અને શાળા પાસે રીપોર્ટ પણ માંગ્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર અમરેલીમાં પણ બની હતી આવી ઘટના :- અમરેલીના મોટામુંજિયાસરની શાળામાં 40 વિદ્યાર્થીઓએ હાથ…

વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખાંભા પ્રજાપતિ સમાજની વાડીમાં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૬૦% થી વધુ ગુણ મેળવનારા ધોરણ ૩ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.     સમગ્ર વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સ્તંભ વિભાગ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહની શરૂઆત સમુદાયના નેતાઓ દ્વારા દીપપ્રાગટ્ય અને બાળકો દ્વારા સ્વાગત ગીતથી કરવામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને અભ્યાસ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ અને આ બધું કર્યા પછી, સમાજના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ખાંભા વિભાગના પ્રજાપતિ સમાજના આગેવાનો અને યુવાનો અને શિક્ષણ કર્મચારીઓએ આ સમગ્ર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. કાર્યક્રમ સફળ.

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા બદલ 4ની ધરપકડ

B India અમરેલી : અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ નોંધાવેલી ફરિયાદના પગલે સ્થાનિક પોલીસે રવિવારે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને કલંકિત કરવા બદલ ચાર શખ્સોની ધરપકડ કરી હતી. કાનપરિયાએ અહેવાલ આપ્યો છે કે તેનું બનાવટી લેટરહેડ બનાવટી હતું અને તેનો ઉપયોગ વેકરિયા વિશે બદનામી કરનારી સામગ્રી ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સોમાં મનીષ વઘાસીયા, અશોક માંગરોલીયા (જસવંતગઢ ગામના સરપંચ અને ભાજપના કાર્યકર), તેમના સહયોગી જીતુ ખત્રા, અને કોમ્પ્યુટર ઓપરેટર પાયલ ગોટીનો સમાવેશ થાય છે. તેમની ધરપકડ બાદ આરોપીઓને અમરેલી શહેરમાં વઘાસીયાની ઓફિસમાં ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યા હતા. પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે ચારેય આરોપીઓએ મિલીભગતથી કામ કર્યું હતું. બનાવટી લેટરહેડની ઉત્પત્તિ શોધી કાઢવા, અન્ય સાથીઓની ઓળખ કરવા અને આ…