અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી ફફડાટ: વન વિભાગ દોડતું થયું
ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગામોમાં સિંહ તથા દીપડાના આંટાફેરાના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો જોવા મળ્યો હતો, જ્યારે નજીકના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ સક્રિય બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો દેખાતા લોકોમાં ભય અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આગરીયા જકાત નાકા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સન્યાસ આશ્રમ…
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતપુત્ર તરીકે પોતાનો પરિચય આપ્યો, અમરેલીમાં ટ્રેક્ટર ચલાવી અને ખેડૂતો સાથે ચર્ચા કરી
ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો. કૃષિ મંત્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા. આ વેળાએ કૃષિ મંત્રીએ ખેતરમાં ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી હતી. તેમણે ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, માટી સાથેનો આ સ્પર્શ ખેડૂતોના રાત-દિવસના પરિશ્રમ અને…
આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા
રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. આગામી 24 કલાકનું અનુમાન હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર…
રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન, આ યોજના થકી હવાની ગુણવત્તા સુધારશે અને હરિત આવરણને કરશે વિસ્તૃત
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી, 2026: ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત કરવાનો, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો કરવાનો તેમજ શુદ્ધ કરેલા ગંદા પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પરંતુ, તે સાથે જ આ મિશન શહેરી વિસ્તારોની સુવિધઓમાં વધારો કરવા માટે સારી રીતે જાળવણી કરાયેલી ગ્રીન સ્પેસ એટલે કે હરિત સ્થળો અને ઉદ્યાનોના વિકાસ પર પણ ભાર મૂકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં AMRUT 2.0 અંતર્ગત ગ્રીન સ્પેસ એટલે કે હરિત ઉદ્યાનો અને બાગ-બગીચાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.…
Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો
બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…
અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત
અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…
ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત
ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…
વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા
નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…
ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં
અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની…
















