Ahmedabad : વસ્ત્રાપુર હાટ ખાતે ‘ક્રાફ્ટરૂટ’ પ્રદર્શનનું રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન, કારીગરોની મહેનતને બિરદાવી

અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શનાબેન વાઘેલાએ અમદાવાદ હાટમાં ક્રાફ્ટરૂટ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનારબહેન પટેલે વર્ષોથી હસ્તકલા અને કારીગરોની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને તેમના પ્રયત્નોથી જ આજે ક્રાફ્ટરૂટ સંસ્થા દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના વારસાને આગળ ધપાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી. કારીગરોની મહેનતને બિરદાવી મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કારીગરોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત ચિંતિત છે, જેના ભાગરૂપે જ દેશભરમાં ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિક કલાને પ્રોત્સાહન મળે. તેમણે…

ગુજરાતનું ગૌરવ: સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) માં બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ/ ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ફરી એકવાર ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC-NEW DELHI) ની ‘પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી’ (PACS) વિભાગની દેશભરની એકમાત્ર બેઠક પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહકારિતા અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજી વખત બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. સમગ્ર ભારતની આ એકમાત્ર સીટ પર બિપીનભાઈની બિનહરીફ વરણી તેમની કાર્યક્ષમતા અને સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરની આ મહત્વની સંસ્થામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેતા સહકારી આગેવાનોમાં ખુશીનો માહોલ છે. સતત બીજી વખત આ જવાબદારી મળવા બદલ રાજ્યના સહકારી અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.બિપીનભાઈ પટેલના અનુભવનો લાભ આગામી સમયમાં દેશના ખેડૂતો અને વેરહાઉસિંગ…

ROBOFEST–ગુજરાત 5.0 માં સર્જાયો ઇતિહાસ, 229થી વધુ પેટન્ટ્સની થઈ નોંધણી ; 137 ટીમો ગ્રાન્ડ ફિનાલે માટે થઈ ક્વોલિફાય

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા એવી ROBOFEST–ગુજરાત 5.0 ના Level–II (Proof of Concept) રાઉન્ડના મૂલ્યાંકન માટે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), ગાંધીનગર ખાતે 28 થી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન આ બેઠક યોજાઈ હતી. Level–II Proof of Concept રાઉન્ડ દરમિયાન લગભગ 1,200 વિદ્યાર્થીઓ અને મેન્ટર્સને સમાવતી 229 ટીમો દ્વારા નવ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં કાર્યરત રોબોટિક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રોબોટ્સ દ્વારા ટ્રેક પર દોડ, હવામાં ગતિ, મેઝ ચેલેન્જનો ઉકેલ, મુશ્કેલ ભૂપ્રદેશમાં નેવિગેશન તથા પાણી નીચે ચાલતા રોબોટ્સ જેવી જીવંત રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રદર્શન iACE કેમ્પસના વિવિધ…

PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-2026નો પ્રારંભ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી તેમજ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ…

અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની…

PM મોદી આવશે અમદાવાદ: જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે. આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે. 2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…

અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને ધ્યાનમાં રાખીને માર્ગો પર વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. રસ્તાઓ પર પ્રતિબંધ: વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવર્ફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વિકલ્પ માર્ગ: વાહનચાલકો નીચેના માર્ગ દ્વારા અવરજવર કરી શકશે: વાડજ સ્મશાન ગૃહ કટ → વાડજ સર્કલ → ઉસ્માનપુરા ચાર રસ્તા → ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ (મધ્યભાગ) → બાટા શો રૂમ → ડી લાઇટ ચાર રસ્તા → ટાઉન હોલ ચાર રસ્તા → પાલડી ચાર રસ્તા પોલીસ કમિશનરે લોકોને સૂચના આપી છે કે આ દિવસે ટ્રાફિકના અટવાશ અને અવરજવર માટે પર્યાપ્ત સમય લઈ મુસાફરી કરવી. વિવીઆઇપી…

દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ…

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, જાણો A To Z માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026 ‘નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.’અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર…