PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-2026નો પ્રારંભ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી તેમજ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી. ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ…

અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગુજરાતની મુલાકાતે, મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની…

PM મોદી આવશે અમદાવાદ: જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે. આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે. 2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…

અમદાવાદ: પીએમ મોદીની મુલાકાતને પગલે 12 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ રોડ બંધ, અહીં જાણો

આવતી 12 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનરે ટ્રાફિક માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબરમતી રીવર્ફ્રન્ટ (પશ્ચિમ) ખાતે પીએમ મોદીના કાર્યક્રમ અને જર્મનીના વાઇસ ચાન્સેલરની હાજરીને ધ્યાનમાં રાખીને માર્ગો પર વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. રસ્તાઓ પર પ્રતિબંધ: વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમનો રીવર્ફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો માર્ગ વિકલ્પ માર્ગ: વાહનચાલકો નીચેના માર્ગ દ્વારા અવરજવર કરી શકશે: વાડજ સ્મશાન ગૃહ કટ → વાડજ સર્કલ → ઉસ્માનપુરા ચાર રસ્તા → ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ (મધ્યભાગ) → બાટા શો રૂમ → ડી લાઇટ ચાર રસ્તા → ટાઉન હોલ ચાર રસ્તા → પાલડી ચાર રસ્તા પોલીસ કમિશનરે લોકોને સૂચના આપી છે કે આ દિવસે ટ્રાફિકના અટવાશ અને અવરજવર માટે પર્યાપ્ત સમય લઈ મુસાફરી કરવી. વિવીઆઇપી…

દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ…

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, જાણો A To Z માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026 ‘નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.’અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર…

DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું

દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપીય દેશ કિરિબાતીના કિરિટીમાટી આઇલેન્ડ પર 2026ની પહેલી સવાર ઉગતી જોવા મળી, જ્યાં લોકોએ પરંપરાગત ઉત્સવો અને ખુશીના માહોલ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ અને ઓકલેન્ડમાં પણ નવાં વર્ષની ઉજવણી ઉત્સાહથી ભરી હતી. સ્કાય ટાવર આસપાસ હજારો લોકો ભેગા થયા અને રોશની, સંગીત અને આનંદ સાથે નવા વર્ષને વંદન કર્યું. એશિયામાં ચીન અને સિંગાપુર જેવા શહેરોમાં કાઉન્ટડાઉન અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી જોવા મળી. જાપાનમાં 31 ડિસેમ્બરના રોજ બૌદ્ધ મંદિરોમાં 108 ઘંટની પરંપરા મુજબ…

2026ને આવકારવા ગુજરાતીઓનું સેલિબ્રેશન શરૂ, ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા

2025ના વર્ષના વિદાયને હવે ગણતરીના કલાકો બાકી છે. 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોટલ અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે તમામ શહેરોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નશો કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ હવે હાઈટેક લાઇટ બેટન અને બ્રેથ એનેલાઈઝર સાથે સજ્જ છે, જે વ્યક્તિએ કેટલો નશો કર્યો છે તે બતાવશે અને સમય તથા સ્થળનો રેકોર્ડ પણ રાખશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો

નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી સહિતની વસ્તુઓ ગોઠવી અને ક્રિસમસ થીમથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે ભગવા સેનાના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને ડેકોરેશન કરેલ ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરવામાં આવ્યું હતું. હિદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીનો એક તરફ વિરોડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરનારની અટકાયત કરવામાં આવી હતી.…