DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું
દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપીય દેશ કિરિબાતીના કિરિટીમાટી આઇલેન્ડ પર 2026ની પહેલી સવાર ઉગતી જોવા મળી, જ્યાં લોકોએ પરંપરાગત ઉત્સવો અને ખુશીના માહોલ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ અને ઓકલેન્ડમાં પણ નવાં વર્ષની ઉજવણી ઉત્સાહથી ભરી હતી. સ્કાય ટાવર આસપાસ હજારો લોકો ભેગા થયા અને રોશની, સંગીત અને આનંદ સાથે નવા વર્ષને વંદન કર્યું. એશિયામાં ચીન અને સિંગાપુર જેવા શહેરોમાં કાઉન્ટડાઉન અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી જોવા મળી. જાપાનમાં 31 ડિસેમ્બરના રોજ બૌદ્ધ મંદિરોમાં 108 ઘંટની પરંપરા મુજબ…
2026ને આવકારવા ગુજરાતીઓનું સેલિબ્રેશન શરૂ, ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા
2025ના વર્ષના વિદાયને હવે ગણતરીના કલાકો બાકી છે. 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોટલ અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે તમામ શહેરોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નશો કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ હવે હાઈટેક લાઇટ બેટન અને બ્રેથ એનેલાઈઝર સાથે સજ્જ છે, જે વ્યક્તિએ કેટલો નશો કર્યો છે તે બતાવશે અને સમય તથા સ્થળનો રેકોર્ડ પણ રાખશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો
નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી સહિતની વસ્તુઓ ગોઠવી અને ક્રિસમસ થીમથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે ભગવા સેનાના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને ડેકોરેશન કરેલ ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરવામાં આવ્યું હતું. હિદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીનો એક તરફ વિરોડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરનારની અટકાયત કરવામાં આવી હતી.…
સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ..! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ સુભાષબ્રિજને આઠ લેનમાં પરિવર્તિત કરાશે આગામી બે વર્ષમાં સુભાષબ્રિજને નવો આકાર અપાશે બ્રિજ પર ભારણને ધ્યાનમાં રાખીને 8 લેન બનાવાશે આગામી સોમવારે ટેન્ડર બહાર પડાશે બ્રિજની આજુબાજુમાં 2 નવી લેન બનશે સુભાષબ્રિજને આઇકોનિક બનાવવા માટે પ્રયાસ બ્રિજ માટે ઊભા કરાશે નવા 7 પિલ્લર જૂનું સુપર સ્ટ્રક્ચર તોડીને કરાશે નવું નિર્માણ.! EPC મોડ હેઠળ 250 કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ 1973માં બનેલા બ્રિજનું આયુષ્ય અને ટેક્નોલોજી જૂની થઈ 18 મીટરનો બ્રિજ હવે 36 મીટર પહોળો થશે તંત્ર પાસે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે મજબૂત પ્લાન છે? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
હવે ગુજરાતની એસ.ટી બસમાં મળશે પ્લેન અને રેલવે જેવી સુવિધા, સરકાર હાથ ધરશે આ ખાસ પ્રોજેક્ટ
રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં…
રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત
રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની લાંબી રાહત અને આતુરતાનો અંત આવ્યો છે. પરીક્ષા વિગતો કુલ ઉમેદવારો: રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ અમદાવાદમાં ઉમેદવારો: 26,381 પરીક્ષા કેન્દ્ર: 133 અવધિમાં વધારો: પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો શહેરો: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આયોજન અને સંચાલન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા સજ્જ રીતે આયોજન કરવામાં આવી રહી છે. 133 કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને સરળતાથી ભાગ લેવા સુવિધા આપવામાં આવશે. આ વર્ષના TET પરીક્ષા આયોજનને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…
અમદાવાદમાં પોલીસને ગાળો આપનારી બંસરી ઠક્કર સામે બીજી FIR, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાનું વાસ્તવિક ચિત્ર બહાર આવ્યું છે. યુવતી અગાઉ પણ કરી ચૂકી છે બબાલ પોલીસ દ્વારા 20 ડિસેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો કે, આ યુવતી બંસરી ઠક્કર અગાઉ પણ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી છે. 14 નવેમ્બર 2025ના રોજ શ્યામલ ચાર રસ્તા પાસે હેલ્મેટ ન પહેરવાના કારણે ટ્રાફિક પોલીસે તેને રોકી હતી. તે સમયે પણ યુવતીએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર…
અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન, આજે રમાશે T20 સીરિઝની નિર્ણાયક મેચ
અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 ડિસેમ્બરના રોજ રમાનારી છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આજે ગુરુવારે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. સાંજના સમયે ભારતીય ટીમનું એરપોર્ટ પર આગમન થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજસેલ ટર્મિનલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ GUJSAIL (ગુજસેલ) ટર્મિનલ તરફ રવાના થયા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને સીધા હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીરિઝનો રોમાંચ ચરમસીમાએ પાંચ મેચોની આ રોમાંચક T20…
ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય
અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…
















