અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી

સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી અને ફફડાટ મચી ગયો. ઘણા લોકો જિવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી, જે થોડીવાર માટે ભયજનક વાતાવરણ સર્જી ગયેલું હતું. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટર્સે મહેનત અને ઝડપી પગલાં સાથે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. તેના કારણે આગ વધુ ફેલાતા પહેલા જ રોકી દીધી. જાણકારી અને તપાસ સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા અથવા જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.…

પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું…

કુવૈત-દિલ્હી ફ્લાઇટને મળી બોમ્બ અને હાઇજેકની ધમકી, અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન કુવૈતથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનની અંદરથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું જેમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. ટીશ્યુ પેપર પર નોંધ મળતાં વિમાનમાં હોબાળો મચી ગયો હતો. વિમાનને તાત્કાલિક અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટમાં સવાર 180 મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી એક નોટ મળી આવી હતી. ટીશ્યુ પેપર પર લખેલી આ નોટમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની…

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર

અમદાવાદ જિલ્લામાં મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો 13મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક તૈયાર થયો છે. રાજ્યમાં કુલ 17 સ્ટીલ બ્રિજમાં આ બ્રિજ ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો છે. બુલેટ ટ્રેન માટે વાયડક્ટ સ્પાન-બાય-સ્પાન સ્ટ્રક્ચર્સની મદદથી બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક સ્પાન ૩૦થી ૫૦ મીટર સુધીનો છે. આ લાઇન કાલુપુર અને શાહપુર મેટ્રો સ્ટેશન વચ્ચે આવેલ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ઉપરથી પસાર થાય છે. સ્ટ્રક્ચર અને સલામતી બ્રિજના ફાઉન્ડેશનને ટનલથી દૂર રાખવામાં આવ્યા હતા જેથી સ્ટ્રક્ચરનો લોડ ટનલ પર ન પહોંચે. બ્રિજની લંબાઈ ૧૦૦ મીટર રાખી ગઇ હતી અને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર 16.5મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું. એસેમ્બલી પછી ટેમ્પરરી સપોર્ટ્સ દૂર કરીને બ્રિજને સ્થિર સપોર્ટ સિસ્ટમ પર સ્થિર કરવામાં આવ્યું.…

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સંબોધનમાં કર્યો આ વાતનો ઉલ્લેખ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા…

અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા

દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા બેઠક યોજી હતી. આ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુચારુ, શિસ્તબદ્ધ અને ગૌરવસભર આયોજન માટે જિલ્લા કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ધ્વજવંદન સમારોહ, પરેડ વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનોની વ્યવસ્થા, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત રહેનારા નાગરિકોને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા…

હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા થયા રવાના, આગામી ચાર દિવસમાં લેશે વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે. વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝને કારણે આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો…

Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…

Ahmedabad: હાથીજણ ખાતે ગૃહ નિર્માણ ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે 40 આવાસોનો ડ્રો સંપન્ન

અમદાવાદમાં હાથીજણ ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 40 આવાસોનો ડ્રો રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબહેન વાઘેલાના વરદ્હસ્તે યોજાયો હતો. આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં ‘ઝૂંપડપટ્ટી મુક્ત શહેર’ બનાવવાનું લક્ષ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી…

અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ, જાણો દર્શનનો સમય

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને…