જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની આ મુલાકાતને ભારત-જર્મની સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ચાન્સેલર મર્ઝ આજે સવારમાં સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ તેઓ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.
આ ઉપરાંત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ભારત અને જર્મની વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેકનોલોજી, ઉદ્યોગ, નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
પ્રવાસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અડાલજની ઐતિહાસિક વાવની પણ મુલાકાત લેશે અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરથી પરિચિત થશે. તેમની આ મુલાકાતથી ભારત-જર્મની સંબંધોમાં નવી ઊર્જા અને મજબૂતી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






