ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા 9 વર્ષમાં કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1.12 લાખથી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

મંત્રીએ ઉત્તરાયણ પર્વની સૌને શુભેચ્છા આપી અપીલ કરતા કહ્યું હતું કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી સવારે અને સાંજે શક્ય હોય તો પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો પણ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં કરૂણા અભિયાન 2026 અંતર્ગત વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વયંસેવી સંસ્થાઓ સાથે મળીને રાજ્યભરમાં કુલ 450 જેટલા કલેક્શન સેન્ટર, 85 જેટલા કંટ્રોલરૂમ તથા 480 વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓના સારવાર તેમજ બચાવ કાર્ય માટે કાર્યરત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર કુલ 740થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે 8500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવા આપી રહ્યા છે.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં 1962 નંબર ડાયલ કરી ઘાયલ પક્ષીઓની સારવાર માટે સહાય મેળવી શકાશે. આગામી તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પક્ષીઓના બચાવ માટે અને પક્ષીઓને સમયસર સારવાર આપવા વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નંબર 83200 02000 જાહેર કરાયો છે. આ નંબર પર વોટ્સએપમાં “Hi” લખવાથી નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની જાણકારી મેળવી શકાશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જરૂર જણાશે તો કરૂણા એમ્બુલન્સ સ્થળ પર થઈ ઘાયલ પક્ષીઓની બચાવ કામગીરીમાં જોડાશે.

મંત્રી માળીએ કહ્યું હતું કે, ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વન વિભાગ દ્વારા જિલ્લાવાર નોડલ અધિકારી તથા નિયંત્રણ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય વિસ્તારોમાં આ કરૂણા અભિયાનને વેગ આપી તેમાં સ્વંયસેવી સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.

આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામન્ય પ્રજાજનો જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગૃતિ કાર્યક્રમો પણ ઠેર ઠેર યોજાશે. ચાયનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને સુર્યોદય તથા સુર્યાસ્ત સમયે પક્ષીઓ વધુ પ્રમાણમાં આકાશમાં ઉડતા હોવાથી આ સમયે પતંગ ન ચગાવવા પણ મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઉત્તરાખંડ”ચમોલીમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં મોટો અકસ્માત, શ્રમિકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગુરુવારે સાંજે નિર્માણાધીન ટનલમાં અચાનક કાટમાળ અને પાણી ઘૂસી આવતાં મોટો અકસ્માત સર્જાયો છે. પીપલકોટી વિસ્તારમાં આવેલી THDCની વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પરિયોજનાની ટનલમાં આ ઘટના બની હતી. અકસ્માત સમયે ટનલમાં કામ કરી રહેલા અનેક શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDRF અને અન્ય બચાવ એજન્સીઓએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. તાજા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 13 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને બહાર કાઢવા કામગીરી ચાલુ છે. ચમોલીમાં સાંજે અચાનક ટનલમાં ઘૂસ્યું પાણી અને કાટમાળ પ્રાથમિક માહિતી અનુસાર ઘટના ગુરુવારે સાંજે બની હતી. ટનલની અંદર અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને તેની સાથે કાટમાળ પણ ધસી આવ્યો હતો. જેના કારણે ટનલમાં કામ કરી રહેલા શ્રમિકો…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, 2027માં અમેરિકાથી 25 ટકા સુધી LPG ખરીદવાની યોજના

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૂરાજકીય તંગદિલી અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે ઊર્જા સપ્લાયને લઈને ઊભા થયેલા જોખમ વચ્ચે ભારતે LPG પુરવઠાને લઈને મહત્વપૂર્ણ વ્યૂહરચના તૈયાર કરી છે. ભારત 2027માં પોતાની કુલ LPG આયાતમાંથી 25 ટકા સુધીનો જથ્થો અમેરિકા પાસેથી મેળવવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ મધ્ય પૂર્વ પરની નિર્ભરતા ઘટાડવા ઉપરાંત દેશમાં રસોઈ ગેસનો પુરવઠો સુરક્ષિત રાખવાનો છે. હોર્મુઝ સંકટ વચ્ચે ત્રણ સરકારી ઓઈલ કંપનીઓને મોટી જવાબદારી હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાથી LPG ખરીદવાની પ્રક્રિયામાં દેશની ત્રણ મોટી સરકારી ઓઈલ કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) 2027 માટે અમેરિકાથી LPG મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં છે. Reutersના અહેવાલ મુજબ, આ ત્રણેય…