ભારત વિશ્વનું સૌથી મોટું AI હબ બનશે, ગૂગલ કરશે આટલા લાખ કરોડનું રોકાણ
ગ્લોબલ ટેક જાયન્ટ ગૂગલે ભારત પર મોટો દાવ લગાવ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે તેમની કંપની ભારતમાં એક મુખ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ બનાવવા માટે રૂ. 1.33 લાખ કરોડ ($15 બિલિયન)નું રોકાણ કરશે. પિચાઈએ મંગળવારે કહ્યું કે તેમણે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેના પ્રથમ AI હબ માટેની યુએસ ટેક જાયન્ટની યોજનાઓ તેમની સાથે શેર કરી છે. ગૂગલે વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ બનાવવાની યોજના જાહેર કરી છે, જે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર તેનું સૌથી મોટું AI હબ છે. કંપનીએ કહ્યું કે તે આગામી પાંચ વર્ષમાં ભારતમાં $15 બિલિયનનું રોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા, સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર આ…
આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, અન્ય રાજ્યોમાંથી ચોમાસુ વિદાય લેશે
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના રાજ્યોમાં 13 ઓક્ટોબરથી સ્વચ્છ હવામાન રહેશે અને આગામી પાંચ દિવસ માટે મોટું હવામાન ફેરફાર શક્ય નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ત્યારે કેરળ અને તમિલનાડુમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવે છે કે 12 થી 18 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવો થી મધ્યમ વરસાદ રહેશે, અને કેટલીક જગ્યાએ…
IPLમાં વિરાટ કોહલી: RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર, પરંતુ ટીમ છોડવાની નથી યોજના
IPLના સૌથી જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીને લઈને હાલમાં કેટલાક ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ હવે RCB માટે નહીં રમે પણ આ મામલે સત્ય શું છે? તાજેતરમાં આહેવાલ આવ્યો કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ સમાચારથી તેના RCB છોડવાની શક્યતાઓ અંગે ખબરો ફેલાયા, જેને કારણે લોકો વચ્ચે શંકા ઊભી થઇ છે. પરંતુ, ખેલાડી અને ટીમ તરફથી હજી સુધી કોઈ એવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે વિરાટ RCB છોડી રહ્યા છે. વિરાટ કોહલી માત્ર કોમર્શિયલ કરાર સાથે સંકળાયેલ કેટલાક નિયમો અને સ્પોન્સરશિપ સંબંધિત દસ્તાવેજો પર સહી કરવા ઇચ્છતા નથી. ખિલાડીનો ખેલાડી કોન્ટ્રાક્ટ અલગ હોય છે અને એના પર હસ્તાક્ષર થવાનું ચાલુ છે. RCB માટે વિરાટ IPL…
રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા
દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે 3000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી 30 લાખ વધારાની બર્થ ઉપલબ્ધ કરાઈ છે. શું છે કોચ રિગ્રેટ સ્ટેટસ? હવે સુધી, જ્યારે ટ્રેનની તમામ સીટો ભરાઈ જાય, ત્યારે ‘રિગ્રેટ’ સ્ટેટસ બતાવવામાં આવતું હતું અને ટિકિટ બુકિંગ બંધ થતું. પણ હવે, વધારાના કોચ ઉમેરવાથી એ સ્થિતિમાંથી રાહત મળશે. ટિકિટ તારીખ બદલી શકાશે – વધુ ચાર્જ નહિ! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે – હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ કેન્સલેશન ચાર્જ ન લગાશે. આ સુવિધા જાન્યુઆરી…
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ
ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…
મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના હિંસક વિરોધ પ્રદર્શનથી રાષ્ટ્રપતિ રાજોએલિનાનું દેશ છોડીને ફારાર
હિંદ મહાસાગરના પૂર્વ કિનારે આવેલા આફ્રિકાના ટાપુ રાષ્ટ્ર મેડાગાસ્કરમાં Gen-Z યુવાનોના અઠવાડિયા લાંબા હિંસક વિરોધ પ્રદર્શનોએ રાજકીય તણાવની નવી સીમા પાર કરી છે. રાષ્ટ્રપતિ આન્દ્રે રાજોએલિનાએ રવિવારે દેશ છોડીને ફરાર થવાનો નિર્ણય લીધો છે. તેમણે દાવો કર્યો કે દેશમાં સૈન્ય દ્વારા બળવો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટના Gen-Z બળવો અને ઉચ્ચ કક્ષાના અધિકારીના રાજીનામાનું તાજુ ઉદાહરણ બની છે. નોંધનીય છે કે ગયા મહિને નેપાળમાં પણ આવા જ Gen-Z વિરોધોના કારણે વડા પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. ફ્રેન્ચ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામત બહાર કાઢ્યું રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર એક ફ્રેન્ચ લશ્કરી વિમાને રાષ્ટ્રપતિ રાજોએલિનાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો. આ પહેલાં ફ્રેન્ચ દૂતાવાસે મેડાગાસ્કરમાં કોઈ પણ પ્રકારના લશ્કરી હસ્તક્ષેપનું…
PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુક્તિનું હાર્દિક સ્વાગત કર્યું છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોદીનું નિવેદન વડાપ્રધાન મોદીએ કહ્યું,”અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનાવાયેલા તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનો પુરાવો છે.” તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્રમ્પના પ્રયાસો માટે ભારત સંપૂર્ણ સમર્થન આપે છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂત સાથે ઉભું છે. યુદ્ધવિરામ અને બંધક કરાર –…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની બચતનું મોટું અંશ ઉપાડવું વધુ સરળ બનશે. EPFOના નવા નિર્ણયોથી કયા ફેરફાર થયા? સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ, જેમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા: હવે PFમાંથી 100% સુધી આંશિક ઉપાડ શક્ય અગાઉ PFમાંથી આંશિક ઉપાડ માટે 13 અલગ-અલગ જટિલ જોગવાઈઓ હતી, જેને હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: – આવશ્યક જરૂરિયાતો: જેમ કે શિક્ષણ, લગ્ન, માંદગી વગેરે – રહેઠાણ સંબંધિત જરૂરિયાતો – ખાસ પરિસ્થિતિઓ: જેમ કે કુદરતી આફત, રોગચાળો, લોકડાઉન વગેરે – ખાસ પરિસ્થિતિઓ માટે…
આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે. કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને…
















