ગુજરાતમાં લાંબા ગાળાની ગરમીની આગાહી, આગામી દિવસોમાં હિટવેવનો ખતરો
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં સતત વધારો થવાને કારણે દિવસ દરમિયાન ઉકળાટ વધશે અને લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત રહેશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે હિટવેવ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. Bhavnagar જિલ્લામાં આગામી બે દિવસ હિટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે Porbandar અને Diu માં પણ તાપમાનમાં વધારો સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની અને દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં…
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…
નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ: વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…
ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર; બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું: નાણામંત્રી કનુ દેસાઈ
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતની મજબૂત આર્થિક સ્થિતિ, સુદ્રઢ નાણાકીય શિસ્ત અને સર્વસમાવેશક વિકાસનું વિસ્તૃત ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા થયું છે, જે રાજ્યની ગતિશીલ અર્થવ્યવસ્થાનો સાક્ષી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે સુશાસન અને જનભાગીદારીના બળ પર વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. ૧૧.૪ ટકા સરેરાશ વિકાસ દર: રાજ્યનો સરેરાશ વિકાસ દર છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧.૪ ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૨ ટકા કરતા વધુ છે. પરિણામે ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ નોંધાઈ…
રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, 806થી વધુ મકાનો ધરાશાયી
રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનને શહેરના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટમાં આવેલ રહેણાંક અને અન્ય બાંધકામો સામે સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને તંત્રની ટીમો દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સત્તાવાર માહિતી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 806 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ ચાલી રહી હતી. સમગ્ર વિસ્તારમાં 1000થી વધુ પોલીસ જવાનો, SRPની ટીમો તેમજ મહિલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓનું કહેવું…
દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર
ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે. લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રી એ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.…
ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…
વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ઐતિહાસિક શહેર વડનગર. લગભગ 2,500 વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું વડનગર પુરાતત્વ, સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત દ્રષ્ટાંત બન્યું છે. પુરાતત્વ અનુભવાત્મક સંગ્રહાલયનું નિર્માણ હોય કે નિર્માણાધીન દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌ-શાળા, કે પછી ઐતિહાસિક સ્થળોનું પુનઃસ્થાપન કાર્ય, ગુજરાત સરકારના સતત પ્રયાસોના કારણે વડનગર આજે એક ટકાઉ શહેરી મૉડલ તરીકે વિકસી રહ્યું છે. આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડનગરના 2500 વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસને સંરક્ષિત કરવા માટે આર્કિયોલોજિકલ એક્સ્પિરેન્શિયલ મ્યુઝિયમનું ગત વર્ષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ₹300 કરોડના ખર્ચે બનેલ આ સંગ્રહાલય ભારતનું…
ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે
રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી…
ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે…
















