J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે કોઈ પણ કાશ્મીરી આતંકવાદી હુમલાનું સમર્થન કરી રહ્યો નથી. પહેલી વાર કાશ્મીરના લોકો એક થયા છે. સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કાશ્મીરની મસ્જિદોમાં મૌન પાળવામાં આવ્યું હતું. આ કાશ્મીરમાં આતંકવાદના અંતની શરૂઆત છે. પહેલગામ હુમલામાં લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. બાળકોએ તેમના પિતાને લોહીથી લથપથ જોયા છે. માફી માંગવા માટે શબ્દો નથી :સીએમ અબ્દુલ્લા સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, ‘આ ઘટનાથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે.’ આપણે પહેલા પણ આવા ઘણા હુમલા જોયા છે. પહેલગામના બૈસરનમાં 21 વર્ષ પછી આટલો મોટો હુમલો થયો…

પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’ यह डर अच्छा है!! Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear. — Harsh Sanghavi (@sanghaviharsh) April 27,…

આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંના સમર્થનમાં સર્વાનુમતે ઠરાવ પસાર થઈ શકે છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનું કહેવું છે કે આ સત્ર આતંકવાદ સામે ખાસ રહેશે. પહેલગામ હુમલા બાદ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે આ વિનંતી સ્વીકારી અને 28 એપ્રિલે ખાસ સત્ર બોલાવવાની મંજૂરી આપી. સત્ર સવારે 10:30 વાગ્યે શરૂ થશે. વિપક્ષના નેતા સુનીલ શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં બધાએ આતંકવાદ સામે એકતા દર્શાવી હતી. જમો કેમ મહત્વ છે આ સત્ર આતંકવાદ અંગે કેન્દ્રના નિર્ણયોના સમર્થનમાં બધા…

28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે

દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે સલામત અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત કરવાનો અને કર્મચારીઓના જીવન અને આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાની. કેમ ઉજવાય છે આ દિવસ? આ દિવસ એ યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને એવી કામકાજની જગ્યા મળવી જોઈએ જ્યાં તે નિર્ભય રીતે કામ કરી શકે અને જ્યાં સલામતીના પૂરતા ઉપાયો હોય. ઘણી વખત, નાની બેદરકારી જીવલેણ બની શકે છે. આ દિવસ એ સમજાવે છે કે “સલામતીમાં કોઈ પણ સમાધાન ચાલશે નહીં.” ઇતિહાસ આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વર્ષ 2003માં કરવામાં આવી હતી. જોકે, 28 એપ્રિલની તારીખ પસંદ કરવાનું…

અંક જ્યોતિષ/28 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ :28 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પ્રથમા (એકમ) 09:13 PM નક્ષત્ર ભરણી 09:38 PM કરણ : કિન્સ્તુઘ્ના 11:07 AM ભાવ 11:07 AM પક્ષ શુક્લ યોગ આયુષ્માન 08:01 PM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:43 AM ચંદ્રોદય 05:43 AM ચંદ્ર રાશિ મેશ સૂર્યાસ્ત 06:54 PM ચંદ્રાસ્ત 07:47 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…

રાશિફળ/28 એપ્રિલ 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવા ની શક્યતા છે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો.…

ઉનાળાની ગરમીમાં પણ રહો ઠંડા અને સ્ટાઇલિશ!, જાણો શું પહેરવું અને શું નહીં

ઉનાળાની ઋતુ તીવ્ર તાપમાન, લૂ અને પરસેવાથી ભરેલી હોય છે. પરંતુ યોગ્ય આઉટફિટની પસંદગીથી તમે આ ગરમીને પણ શૈલી અને આરામથી હાવી કરી શકો છો. થોડી સમજદારીથી તમે ન માત્ર પર્સનલ કમ્ફર્ટ જ રાખી શકો છો પણ સુંદર પણ લાગી શકો છો. ઉનાળામાં આવા કપડાં પહેરો 1. કૉટન, લિનન અને ખાદી ફેબ્રિક પસંદ કરો કૉટન જેવા કુદરતી ફેબ્રિક્સ ત્વચાને શ્વાસ લેવાની જગ્યા આપે છે. પરસેવો સરળતાથી શોષી લે છે, જેથી તાજગી અને ઠંડક રહે. 2. ફ્લોરલ પ્રિન્ટ અને પેસ્ટલ શેડ્સ પસંદ કરો આછા રંગો ગરમીને દૂર રાખે છે. ફ્લોરલ ડિઝાઇન લાઈટ ફીલિંગ આપે છે અને ફેશન ફ્રેન્ડલી પણ હોય છે. સફેદ, લાઈટ બ્લુ, પિંક, પિચ જેવા રંગો પસંદ કરો. 3. લૂઝ ફિટેડ કપડા પહેરો ઢીલા કપડાં…

પૂર્વ પાકિસ્તાની અધિકારીએ આ સિંગર પર ઉઠાવ્યા સવાલ, સિંગરે આપ્યો જડબાતોડ જવાબ

ગાયક અદનાન સામી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે મૌખિક પગમારણ પરિસ્થિતિ સામે આવી છે. નવપ્રાપ્ત માહિતી મુજબ, ફવાદ ચૌધરીએ X (પૂર્વેનું ટ્વિટર) પર, તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાના નિર્દેશોને લઈને અદનાન સામીની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. ફવાદ ચૌધરીના આ પ્રશ્નના જવાબમાં અદનાન સામીએ એટલું કહ્યું હતું: “આ અભણ મૂર્ખને કોણ કહેશે!” અને આ સાથે તેમણે એક હસતો ઇમોજી પણ શેર કર્યો. આ સમયે, ગાયકની આ તાકાતદાર અને સ્પષ્ટ પ્રતિક્રિયાએ સોશિયલ મિડિયાની ચર્ચા તીવ્ર કરી દીધી છે. અદનાન સામીની આ પ્રતિક્રિયા એ તેની જાતિ અને નાગરિકતા વિષે ઉઠાવેલા પ્રશ્નો પર તરત જ એક જડબાતોડ જવાબ હતો. મશહૂર ગાયક અદનાન સામીએ 2015…

ગીર સોમનાથમાં 4 કિલો ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, બે પેડલરો ઝડપાયા

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ સતત સક્રિય છે. આવા સમયમાં ગીર સોમનાથ જિલ્લા SOGએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે સોમનાથ-બાયપાસ ચોકડી પાસે આવેલી એશટોરીયા હોટલ નજીકથી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી ઓરિસ્સા સુધીના ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ પકડાયેલ શખ્સોની ઓળખ સમીરશા ફકીર અને અસપાક કાલુ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શખ્સોએ ઓરિસ્સાના ચંદનસિંહ નામના સપ્લાયર પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તેમને આ ગાંજો વેરાવળના અબ્બાસ સુલેમાન મંગરોલીયા માટે પહોંચાડવાનો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ પ્રભાસપાટણ પોલીસે NDPS એક્ટ હેઠળ બંને પેડલરો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અબ્બાસ પેડલરોને દરેક વખતની…