રાશિફળ/30 એપ્રિલ 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. વધારે પડતા કામ છતાંય…
મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર
ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે? Dolo 650 શું છે? Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ. Dolo 650ની આડઅસરો 1. અંતરડાને નુકસાન: જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 2. થાક અને નબળાઈ: કેટલાક…
પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ
કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ સામે ભારતના પ્રતિસાદ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સેનાને આપી સંપૂર્ણ સ્વતંત્રતા સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાને બેઠક દરમિયાન સ્પષ્ટતા કરી કે “આતંકવાદ સામે યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવી એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે.” તેમણે સેનાને “મૂળભૂત લક્ષ્ય, રીત અને સમય” નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ છૂટ આપી છે. પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં પોતાનું સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યું. 90 મિનિટ ચાલેલી બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યા? રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રી અજિત ડોભાલ – રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ અનુપ ચૌહાણ – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…
મોંઘવારીનો વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો
મોંઘવારીના સતત વધતા દોર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવો આજથી (બુધવાર) દેશભરમાં અમલમાં આવ્યા છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિતના તમામ મેટ્રો શહેરો અને રાજ્યોનો સમાવેશ થાય છે. રોજના વેચાણ પર સીધી અસર મધર ડેરી દ્વારા આપેલી માહિતી મુજબ, કંપની દિલ્હીમાં દરરોજ લગભગ 35 લાખ લિટર દૂધનું વિતરણ કરે છે. ભાવમાં વધારાથી લાખો ગ્રાહકોની ખિસ્સા પર સીધી અસર થશે. મધર ડેરીના નવા ભાવો મુજબ, ટોન્ડ, ડબલ ટોન્ડ અને ફુલ ક્રીમ દૂધ સહિત વિવિધ પ્રકારના દૂધના પેકમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધના નવા ભાવ (પ્રતિ લિટર): દૂધનો પ્રકાર જૂનો ભાવ (₹) નવો ભાવ (₹) ટોન્ડ દૂધ (પાઉચ) 56 57 ફુલ…
પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી, જેમાં પહેલીવાર સરકારી સ્તરે હુમલાની પાછળ રહેલા મુદ્દાઓ અને ભારતના પ્રતિસાદ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હોવાના અહેવાલ છે. દિલ્હી સ્થિત પીએમ નિવાસસ્થાન પર બેઠક આ બેઠક નવી દિલ્હીમાં વડાપ્રધાનના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને સાંજે યોજાઈ હતી અને લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના મતે, આ મુલાકાત પહેલગામ હુમલા બાદ ઉભી થયેલી આંતરરાષ્ટ્રીય અને ઘરની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. PM મોદીએ આ બેઠક પહેલાં દેશના ટોચના રક્ષાપ્રણાલી અધિકારીઓ સાથે પણ ઊંચી સ્તરે ચર્ચાઓ યોજી હતી. પહેલગામમાં…
સ્વીડન: ઉપ્સલા શહેરના સલૂનમાં ગોળીબાર; 3ના મોત, અનેક ઘાયલ
સ્વીડનના જાણીતા ઉપ્સલા શહેરમાં એક હેર સેલૂનમાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. આ હૃદયવિદારક ઘટના વક્સલા સ્ક્વેર નજીક આવેલી એક હેર સેલૂનમાં બની હતી, જે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. સ્થાનિક સમય મુજબ, પોલીસને ગોળીબારની જાણ કરતા ઘણા લોકોના ફોન કોલ મળ્યા હતા. દ્રશ્યના અહેવાલો અનુસાર, કેટલાક લોકોને ગોળીબારના અવાજ પહેલાં વિસ્ફોટ જેવી ગુંજ સંભળાઈ હતી. આ ઘટનાની ગંભીરતા એ છે કે તે વોલપુરગીસ નાઇટ (વસંત ઉત્સવ)ની પૂર્વસંધ્યાએ બની છે, જયારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળોએ ઉતરી આવ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે તાત્કાલિક રીતે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવીને વિસ્તારને ઘેરી…
IPL 2025: નારાયણ-વરુણની ફિરકીમાં ફસાયા દિલ્હી કેપિટલ્સ, KKRની રોમાંચક જીત
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક મુકાબલામાં 14 રનથી જીત નોંધાવી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શકી હતી. KKR તરફથી યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ 44 રનનો મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જ્યારે અન્ય બેટ્સમેનોએ પણ ઓછામાં વધુ યોગદાન આપ્યું હતું. દિલ્હીની બોલિંગમાં મિશેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. વિપરાજ નિગમ અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે દુષ્મંથા ચમીરાને એક વિકેટ મળી હતી. 205 રનની લક્ષ્યાંક સાથે મેદાન પર ઉતરેલી દિલ્હીની ટીમ શરૂઆતથી જ દબાણમાં રહી. નારાયણ અને ચક્રવર્તીની ફિરકી સામે…
નાઇજીરીયામાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓએ બે વાહનોમાં કર્યા વિસ્ફોટ
ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા રહે છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારે હવે આફ્રિકન દેશ નાઇજીરીયામાં પણ એક મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે જેમાં 20થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. ભયાનક આતંકવાદી હુમલો સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ બે વાહનોમાં વિસ્ફોટ કર્યા હતા. વિદેશી નાગરિકોને સુરક્ષા પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાએ માહિતી આપી છે કે આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી અનુસાર, બોર્નો રાજ્ય ઇસ્લામિક ઉગ્રવાદનો ગઢ છે. નાઇજીરીયામાં વધી રહ્યા છે સતત હુમલાઓ…
અંક જ્યોતિષ/29 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/29 એપ્રિલ 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે…















