મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે?

Dolo 650 શું છે?
Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ.

Dolo 650ની આડઅસરો
1. અંતરડાને નુકસાન:
જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

2. થાક અને નબળાઈ:
કેટલાક લોકોમાં આ દવાથી વધુ ઉંઘ, થાક અને શરીરમાં નબળાઈ આવી શકે છે.

3. ઉલટી અને ઉબકા:
જેઓને પેરાસીટામોલ સહન ન થાય, તેમને ઉલટી, ઉબકા અને પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે.

4. ચક્કર અને લો બ્લડ પ્રેશર:
વારંવાર ઉપયોગ કરવાથી બીપી ઘટી શકે છે, અને ચક્કર આવવા લાગે છે.

જાતે દવા લેવી – ખોટી ટેવ
ભારત જેવા દેશમાં મોટાભાગના લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ લે છે. પણ Dolo 650 જેવી દવા રોજબરોજમાં અને મનફાવે ત્યારે લેવાથી શરીરના અંગો પર નુકસાનકારક અસરો પડી શકે છે, ખાસ કરીને લિવર અને કિડની પર.

શું કરવું જોઈએ?
– હંમેશા Dolo 650 લેતા પહેલા ડૉક્ટરનો સલાહ લો
– કોઈ પણ તાવ કે દુખાવાની શરુઆતમાં તરત દવા ન લો, પહેલાં તાપમાન ચેક કરો
– તાવ સતત વધી રહ્યો હોય કે 3 દિવસથી વધુ રહે, તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *