સોમનાથ સ્વાભિમાન પર્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરી

જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા.

કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો.

આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.

સોમનાથ ખાતે યોજાનાર સ્વાભિમાન પર્વ અંતર્ગત ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહભાગી થવાના છે. આ પ્રસંગે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.

આ મુલાકાતને લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

    – ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…

    હોર્મુઝની ખાડી પર ‘સ્ટીલની દીવાલ’! ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનને લઈને પણ કર્યા આકરા પ્રહાર

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી નૌકાદળે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ આ જળમાર્ગ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તેમણે અમેરિકાની નૌકાદળની નાકાબંધીને ‘સ્ટીલની દીવાલ’ ગણાવી છે અને કહ્યું છે કે તેને આગળ પણ જાળવી રાખવામાં આવશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે હોર્મુઝની ખાડી ખોલવા અને અમેરિકા-ઈરાન વચ્ચે સમજૂતી અંગે ચર્ચા ચાલી રહી છે. ઈરાન તરફથી ખાડી ફરી સંપૂર્ણપણે ખોલવા માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે, જ્યારે ટ્રમ્પે ઈરાન પાસેથી વળતર અને અન્ય માંગણીઓ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પનો મોટો દાવો ‘અમે સ્ટીલની દીવાલ ઊભી કરી છે’ ટ્રમ્પે અમેરિકાની નૌકાદળની કાર્યવાહી અંગે વાત કરતાં…