‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી: 

સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો તેમજ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.

ગૃહ મંત્રીએ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે ભીડ નિયંત્રણ, ઇમરજન્સી સેવાઓની સજ્જતા અને ટેકનોલોજીના ઉપયોગ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ સફળ રીતે સંપન્ન થાય તે માટે તેમણે વહીવટી તંત્રને આહ્વાન કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ડો.પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    Vadodara Scam : ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર સવાલ: ₹300 કરોડથી વધુની સરકારી જમીનના દસ્તાવેજોને લઈને કોંગ્રેસના આક્ષેપ

    Vadodara વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આશરે 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી ‘શ્રી સરકાર’ જમીનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 300 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જમીનના દસ્તાવેજો, મરણના દાખલા, જન્મના દાખલા, પેઢીનામું અને મહેસૂલ રેકોર્ડમાં હક ફેરફારની પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની સરકારી જમીન સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી અને આ પ્રક્રિયામાં સરકારી તંત્રની વિવિધ કચેરીઓની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.…

    Shravan Month 2026 In Gujarat Divine Beginning: ધર્મ-ઉપાસનાનો મહાપર્વ, જાણો વ્રત, પૂજા વિધિ અને મહત્વ Spiritual Bliss

    Shravan Month અમદાવાદ, 12 ઓગસ્ટ 2026: ગુજરાતમાં ભગવાન શિવની આરાધના અને ભક્તિનો સૌથી પવિત્ર ગણાતો શ્રાવણ માસ આવતીકાલે, 13 ઓગસ્ટ 2026થી શરૂ થશે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ 13 ઓગસ્ટથી થશે અને 11 સપ્ટેમ્બર 2026 સુધી શ્રાવણ માસ રહેશે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ ગુજરાતભરમાં મંદિરોમાં ભક્તોની ભીડ, શિવપૂજા, જળાભિષેક, રુદ્રાભિષેક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો માહોલ જોવા મળશે. શ્રાવણ માસ હિન્દુ ધાર્મિક પરંપરામાં ભગવાન શિવને સમર્પિત વિશેષ માસ તરીકે ઓળખાય છે. આ સમગ્ર મહિના દરમિયાન ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે અને સોમવારે વિશેષ વ્રત તથા પૂજા કરતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળતી હોય છે. 13 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત…