મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના…

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન

સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ‘સદધર્મ સમાજસેવા રત્ન:’ થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મહાવિદ્યાલયનું લોકાર્પણ માત્ર એક સંસ્થાનો આરંભ નથી, પરંતુ ભારતની અનાદિકાળની વૈદિક પરંપરા અને જ્ઞાનગંગાને નવી દિશા આપતું એક પવિત્ર ‘ચેતના કેન્દ્ર’ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા યુવાનોને ભારતીય સંસ્કૃતિના મૂળભૂત તત્વો સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે, ત્યારે આ સંકુલ નવી પેઢીમાં સનાતન જ્ઞાનને ઉજાગર કરીને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરશે. અહીંથી પ્રાપ્ત થતું જ્ઞાન અને મૂલ્યો વિદ્યાર્થીઓને…

માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન

અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું ..તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું ..હાલમાં ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ પૂર્ણ થઈ છે ..આજના પવિત્ર દિવસે અંબાજી આસપાસની 11 શાળાઓની બાળાઓનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું ..કુમકુમ તિલક અને ચણિયા ચોળી સાથે ઇમિટેશન જ્વેલરી અને શણગાર સાથે ભોજન અપાયું ..સમગ્ર બાળાઓને મંદિરમાં મહારાજના આશીર્વાદ આપવામાં આવ્યા ..તમામ બાળાઓએ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા ..સમગ્ર મંદિરમાં ધાર્મિક આયોજન કરવામાં આવ્યું     Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM :   / bindia.in   FACEBOOK : https://www.facebook.com/ X : https://x.com/bindia276  

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા. અચાનક બદલાયેલા હવામાનને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. માતર, ખેડા, નડિયાદ અને કપડવંજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધતી જોવા મળી રહી છે. ધોલેરા વિસ્તારમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ અને બાદમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જનજીવન પ્રભાવિત બન્યું…

ઉનાળામાં ચોમાસાની એન્ટ્રી! રાજ્યમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક,આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા

રાજ્યમાં ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પડેલા માવઠાના કારણે કુલ 7 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર 2 કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટાં પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તે જ રીતે ખંભાળિયામાં પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા હવામાનમાં ઠંડક આવી ગઈ હતી. આ તરફ ગીરસોમનાથમાં પણ અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદી ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું. ઉનાળાની ઋતુમાં જ…

મોંઘવારીનો ડબલ ડોઝ : અદાણી ગેસે ફરી ઝીંક્યો ભાવવધારો, જાણો નવા લેટેસ્ટ ભાવ

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ 2 એપ્રિલ, 2026 થી અમલી બની ગયા છે. વિવિધ શહેરોમાં CNGના નવા ભાવ (પ્રતિ કિલો) કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ભાવ નીચે મુજબ રહેશે: શહેર / જિલ્લો નવો ભાવ (₹/કિલો) નવસારી 84.45 અમદાવાદ 83.77 ખેડા 82.86 સુરેન્દ્રનગર 82.61 વડોદરા 82.10 સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર સીએનજીના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર પડશે. રિક્ષા અને ટેક્સી: અમદાવાદ જેવા શહેરોમાં હજારો ઓટો-રિક્ષા…

ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના

ગાંધીનગર : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે. રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ…

આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત

ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી ‘વિકસિત ભારત @2047‘ના વિઝનને સાકાર કરવાનો છે. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…

હનુમાન જયંતિ 2026: ‘હનુમાન’ બનીને છવાયેલા અભિનેતાઓ—આજે ક્યાં છે આ સ્ટાર્સ?

ભારતીય ધાર્મિક કથાઓમાં હનુમાનનું વિશેષ સ્થાન છે.  હનુમાન જયંતિ 2026 ના પાવન અવસર પર, જ્યારે સમગ્ર દેશ બજરંગબલીની ભક્તિમાં લીન છે, ત્યારે નાના અને મોટા પડદા પર “હનુમાન” બનીને છવાઈ ગયેલા કલાકારોની યાદો પણ તાજી બની જાય છે. કોઈએ આ પાત્ર દ્વારા અમર ઓળખ બનાવી, તો કોઈ આજે પણ એ જ છબીથી ઓળખાય છે. અને એક દિગ્ગજ કલાકાર હવે આપણા વચ્ચે નથી રહ્યા. આવો જાણીએ તે કલાકારો વિશે, જેમણે પડદા પર હનુમાન બનીને ઇતિહાસ રચ્યો. ટીવી અને ફિલ્મોમાં આ પાત્ર ભજવનારા કલાકારોને લોકો ભગવાન સમાન માનતા આવ્યા છે. ખાસ કરીને ‘રામાયણ’ પછી તો કલાકારોની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ હતી. દારા સિંહ – અસલી ‘હનુમાન’ની ઓળખ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી,…

ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી

ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.    સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર…