દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, બોબી દેઓલ થયા ભાવુક
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને તાજેતરમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા, જે પ્રસંગે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ ખાસ અવસરે તેમના પુત્ર અને અભિનેતા બોબી દેઓલ ખૂબ જ ભાવુક બની ગયા હતા. બોબી દેઓલે પોતાના પિતાના સન્માન પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, “પાપાએ વર્ષો સુધી પોતાની મહેનત અને પ્રતિભાથી લોકોના દિલોને સ્પર્શ્યા છે. આજે જે પ્રેમ અને સન્માન અમને મળે છે, તે તેમના કારણે જ છે.” તેમના આ શબ્દોમાં પિતાપ્રત્યેનો આદર અને લાગણી સ્પષ્ટ દેખાઈ આવી. ધર્મેન્દ્રએ પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે અને પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. આ એવોર્ડ તેમના દાયકાઓ લાંબા યોગદાનને માન્યતા આપતો મહત્વપૂર્ણ સન્માન છે. આ પ્રસંગે ફિલ્મ જગતના…
ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ
ગાંધીનગર: ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ…
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કોંગ્રેસે 243 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામો સામેલ છે, જે રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી લડશે. આ યાદીમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓ માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસે કુલ 92 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ કેટલાક વર્તમાન કોર્પોરેટરો પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દાણીલીમડા વોર્ડમાંથી શેહઝાદ ખાન પઠાણને ફરી તક આપવામાં આવી છે, જ્યારે અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. દરિયાપુર વોર્ડમાંથી નીરવ બક્ષીને પણ ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉમેદવાર યાદી જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષો પણ…
ગુજરાત : 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન બદલાતા રહેતા ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે. કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવામાન વિભાગ અનુસાર, 7 એપ્રિલના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે: – સૌરાષ્ટ્ર: દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ – ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ – મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન જવા માટે અને બંદર વિસ્તારોમાં સાવધ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપી છે. ગરમીમાં આંશિક રાહત હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના…
111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 3 ઉમેદવારોએ 6 નામાંકન પત્રો ભર્યા
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. CEO Gujarat Press Note 04.04.2026 (1) જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026 ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. 1. મૌલિકકુમારુમાર વિનોદચંદ્ર શાહ ભારતીય નેશનલ જનતા દળ 111- ઉમરેઠ 2. હર્ષદ ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ 3. વિમલકુમાર કાંતીલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના…
હોટલોમાં પનીરના નામે ‘એનાલોગ’ નહીં, રાજ્ય સરકારે જાહેર કર્યો કડક આદેશ
Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ (Vegetable-Fat Paneer Alternative) પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય બાબતો હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જો પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટ અથવા સ્ટાર્ચ પરથી બનેલ એનાલોગ પનીર ઉપયોગ થાય, તો તેના વિષે મેન્યુકાર્ડ, બોર્ડ કે અન્ય જાણકારી સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે. આ નિયમોનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવામાં આવશે. ખોટી માહિતી આપવી અથવા ગ્રાહકોને ભ્રમિત કરવી ‘ભ્રામક વેપાર પ્રથા’ ગણાશે અને કડક કાયદેસરની કાર્યવાહી થશે. પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી ફરજિયાત છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગ કરશે. સરકારનું ધ્યેય આ…
અમરેલી નજીક મીતીયાળા અભયારણ્ય પાસે ભીષણ આગ, વન્યજીવો જોખમમાં
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્ય નજીક આવેલા ડુંગર વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળતાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાંભાના નાનુડી ગામ પાસે બરસિયા ડુંગરમાં લાગેલી આ આગે આશરે 40 વિઘાથી વધુ રેવન્યુ જમીનને ભસ્મીભૂત કરી દીધી હોવાનું પ્રાથમિક અંદાજ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ કલાકથી આગ સતત ધગધગી રહી છે, છતાં તંત્ર તરફથી આગ પર કાબૂ મેળવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આગ ધીમે ધીમે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર સિંહો સહિત અનેક વન્યપ્રાણીઓનું નિવાસસ્થાન ગણાય છે. એશિયાટિક સિંહ સહિતના પ્રાણીઓ માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો છે. આગ અને ઘાટા ધુમાડાના કારણે વન્યજીવો અને પક્ષીઓમાં ભયનું વાતાવરણ…
GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવાનો અંતિમ સમય 8 એપ્રિલ
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા 29 માર્ચ, 2026ના રોજ યોજાયેલી GUJCET-2026ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. મહત્વપૂર્ણ વિગતો – પ્રશ્નપત્રના વિષયો: ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન – સેટ નંબર: 1 થી 20 – માધ્યમ: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – વેબસાઇટ: www.gseb.org વાંધા/પ્રતિસાદ માટે માર્ગદર્શન – છેલ્લી તારીખ: 8 એપ્રિલ, 2026, સાંજે 18:00 કલાક – ફોર્મ ભરવાની પદ્ધતિ: વિષયવાર અને પ્રશ્નદીઠ અલગ ફોર્મ ભરી જરૂરી આધારો સાથે gujcetkey@gmail.com પર ઈ-મેઈલ કરવી – ફી: દરેક પ્રશ્ન માટે ₹500/- – ફી ચુકવણી: SBI બેંકમાં ચલણ દ્વારા, ચલણની નકલ ઈ-મેઈલ સાથે જોડવી ફરજિયાત નોંધ: જો રજૂઆત…
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો માટે મોટી તક: 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર
ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2026થી શરૂ થશે અને 24 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dpegujarat.in પર જઈને અરજી કરી શકશે. ભરતીની મુખ્ય વિગતો મુજબ, આ જગ્યાઓમાં નવી જગ્યાઓ ઉપરાંત અગાઉની ભરતીમાં ખાલી રહેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાયને ધ્યાનમાં રાખીને કુલ જગ્યાઓમાંથી 4 ટકા અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવી છે. લાયકાત અને વયમર્યાદા ઉમેદવાર માટે Teacher Eligibility Test (TET-1) પાસ કરવું ફરજિયાત છે. સાથે સાથે D.El.Ed. અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. હાલમાં…
મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય પર એક દિવસીય રાજ્ય કક્ષાના કન્સલ્ટેટિવ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના…
















