Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો
સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા…
સ્લોવાકિયાએ ભારતના UNSC કાયમી સભ્યપદના પ્રયાસોને આપ્યું સંપૂર્ણ સમર્થન: રાષ્ટ્રપતિ પેલેગ્રિની
સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમનો દેશ ભારતના આ પ્રયાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને સંયુક્ત રાષ્ટ્રના બહુપક્ષીય કાર્ય સાથે ઉભો છે. તેમણે આ નિવેદન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત દરમિયાન મળ્યા બાદ આપ્યું હતું. પેલેગ્રિનીએ કહ્યું કે સ્લોવાકિયાએ યુએન જનરલ એસેમ્બલીના ભૂતપૂર્વ પ્રમુખ સાથેની મુલાકાતમાં આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. UNSC માં કાયમી સભ્યપદનું મહત્વ:- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં 15 સભ્યો છે, જેમાંથી પાંચ કાયમી સભ્યો છે – અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ પાંચ કાયમી સભ્યો પાસે વીટો પાવર છે, જે તેમને સુરક્ષા પરિષદના ઠરાવોને અવરોધિત કરવાની…
વડોદરા : VMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી
અર્પિતા સાગરની કરવામાં આવી બદલી મહીસાગરના કલેકટર તરીકે અર્પિતા સાગરની થઈ બદલી વડોદરા મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે ગંગા સિંઘની નિયુક્તિ
તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ
NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન…
ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી, ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન, આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે. ટ્રમ્પના ટેરિફને લઈને શેરબજારમાં હાહાકાર મચ્યો હતો અને વૈશ્વિક મંદીની આશંકા વધી હતી એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી…
વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો લાભ મળશે. વડાપ્રધાન મોદીએ રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2025માં આ ટિપ્પણી કરી હતી, જ્યાં તેમણે આ કાયદાના સામાજિક અને રાજકીય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી મોદીએ આ નવા વકફ કાયદાને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે આ કાયદો ખાસ કરીને ગરીબ માટે છે તુષ્ટિકરણની રાજનીતિને નિશાન બનાવવી પ્રધાનમંત્રીએ તુષ્ટિકરણની રાજનીતિ પર કડક નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતને આ રાજનીતિનું પરિણામ ભોગવવું પડ્યું છે. તેમણે ખાસ કરીને ભાગલા સમયે રાજકારણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજકારણ સત્તાની લાલસાને કારણે થયું હતું જે રાષ્ટ્રીય…
ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ મેગા ડીલ, 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મળી મંજૂરી
કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદાનું કુલ મૂલ્ય 63,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ સોદો ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, અને આ સોદો ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ, ભારતીય નૌકાદળને કુલ 26 રાફેલ એમ વિમાન મળશે. આમાંથી 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર એરક્રાફ્ટ હશે, જે એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. વધુમાં, આ સોદામાં વિમાન જાળવણી, લોજિસ્ટિક સપોર્ટ અને રાફેલ એમ ઉડાન અને હેન્ડલિંગ માટે ભારતીય નૌકાદળના કર્મચારીઓને તાલીમ આપવાનો પણ સમાવેશ થાય છે. 2029માં મળશે ડિલિવરી રાફેલ એમ જેટની…
અમદાવાદમાં રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીનો ઉઠાવ્યો મુદ્દો, જાણો શું કહ્યું
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું 84મું બે દિવસીય અધિવેશન ચાલી રહ્યું છે. મંગળવારે પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ચાર કલાક ચાલી હતી. આજે, છેલ્લા દિવસે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યા. કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તેલંગાણામાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમે જાતિગત વસ્તી ગણતરી હાથ ધરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે થોડા મહિના પહેલા મેં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછ્યું હતું કે, આપણે દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવી જોઈએ… હું જાણવા માંગતો હતો કે આ દેશમાં કોનો કેટલો હિસ્સો છે અને શું આ દેશ ખરેખર આદિવાસી, દલિત અને પછાત સમુદાયોનું સન્માન કરે છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSસે જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો…
સુરતની લાજપોર જેલમાં મધ્યસ્થ જેલના વિદ્યાર્થીઓનું આવ્યું 100 % રીઝલ્ટ, જાણો કેવી છે શિક્ષણ વ્યવસ્થા
રાજ્યના બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિધાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ 267 બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે, સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – 2024 માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.18 લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં…
જમ્મુમાં LOC નજીક 10 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ થશે, ઘૂસણખોરી મુદ્દે ચર્ચા થશે
૧૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે એક મહત્વપૂર્ણ ફ્લેગ મીટિંગ થવા જઈ રહી છે. આ મીટિંગ નિયંત્રણ રેખા (LOC) નજીક જમ્મુના પૂંછ સેક્ટરમાં ચકંડા બાગ ખાતે યોજાશે. આ બેઠક દરમિયાન બંને દેશોની સેનાઓ સરહદ સંબંધિત મહત્વપૂર્ણ સમસ્યાઓ અને સુરક્ષા બાબતો પર ચર્ચા કરશે. પાકિસ્તાન સેનાની વારંવારની વિનંતીઓ બાદ આ બેઠક યોજાઈ રહી છે. ઘૂસણખોરીના પ્રયાસો પર ચર્ચા થશે:- ફ્લેગ મીટિંગ દરમિયાન મુખ્ય વિષય પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઘૂસણખોરીના પ્રયાસો હશે. તાજેતરમાં, પાકિસ્તાની સેનાએ LOC ની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભારતીય સેનાને નિશાન બનાવવા માટે IED અને કેમેરા લગાવવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, ભારતીય સેનાએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, અને આ ઘટનાઓમાં કેટલાક અધિકારીઓ સહિત લગભગ 15 પાકિસ્તાની સૈનિકો…
















