સુરતની લાજપોર જેલમાં મધ્યસ્થ જેલના વિદ્યાર્થીઓનું આવ્યું 100 % રીઝલ્ટ, જાણો કેવી છે શિક્ષણ વ્યવસ્થા

રાજ્યના બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિધાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ 267 બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે, સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ 16 બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – 2024 માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.18 લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે વર્ષ – 2024-25 માં ધો-10 ના 16 , ધો- 12 ના 9 અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટીફીકેટ કોર્ષમાં 32 કેદીઓઓ મળીને કુલ 57 બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 માં ધો 10 માં અને ધો 12માં પરીક્ષાનું પરિણામ 100% આવ્યું હતું.

રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

લાજપોર જેલમાં અધતન લાઇબ્રેરી
આ વિદ્યાલયમાં બંદીવાન ભાઇ-બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરૂષ અને મહિલા વિભાગ માટે અલગ-અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં બંદિવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, તે અંગેનું રેકર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ 18 હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ 864 મેગઝીન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ- નિરક્ષર અને વૃધ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવાં બંદિવાનો માટે જેલ ખાતે ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં કુલ-2062 જેટલાં બંદીવાનોએ ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે. દર મહિને આશરે 2200 થી 2500 પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    Dwarkaમાં જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ: દર્શન માટે ઉમટશે ભક્તોનો મહાસાગર! 2026 Spiritual Peak

    Dwarkaમાં જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ: ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટશે ભક્તોનો મહાસાગર દ્વારકા જન્માષ્ટમી 2026: ગુજરાતના પવિત્ર યાત્રાધામ Dwarkaમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના અનોખા સંગમ સાથે કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે છે. મધરાત્રીના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ પૂજા અને આરતી યોજાતા સમગ્ર દ્વારકા ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી ગુંજી ઊઠે છે. -> Dwarkaમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ : ભગવાન  શ્રીકૃષ્ણની પવિત્ર નગરી તરીકે દ્વારકાનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણે મથુરાથી સ્થળાંતર કર્યા બાદ દ્વારકામાં પોતાની રાજધાની સ્થાપી હતી. તેથી જન્માષ્ટમીના પર્વ દરમિયાન દ્વારકાધીશના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે…

    પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક Urgent Rescue 2026

    REPORTER : ANIL RAMANUJ પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક: 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત, બાળકી સહિત વૃદ્ધા પર હુમલાથી ભયનો માહોલ પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા Villageમાં વહેલી સવારે હિંસક વન્યપ્રાણીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રિના અંતિમ પહોરથી વહેલી સવાર સુધી એક અજાણ્યા પ્રાણીએ Villageના અલગ-અલગ વિસ્તારોમાં જઈને લોકો પર હુમલા કર્યા હતા. આ ઘટનામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે ધારપુરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ગંભીરતા એટલી હતી કે એક 7 વર્ષની બાળકીના ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એક વૃદ્ધા પર થયેલા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *