ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી, ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને 84 ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ’ પર 90 દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત 75 દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન, આ દેશો પર ફક્ત 10 ટકા ડ્યુટી લાગુ પડશે.

ટ્રમ્પના ટેરિફને લઈને શેરબજારમાં હાહાકાર મચ્યો હતો અને વૈશ્વિક મંદીની આશંકા વધી હતી એક તરફ ટ્રમ્પના આ નિર્ણયને ચીન પર દબાણ લાવવાની રણનીતિ માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ટીકાકારોનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક બજારોમાં ઘટાડા અને ભારે ટીકા પછી લેવામાં આવેલ ‘યુ-ટર્ન’ છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું, “મેં 90-દિવસના પોઝને અધિકૃત કર્યો છે, જે દરમિયાન અન્ય દેશો માટે પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10% કરવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરકારક છે.”

ચીને અમેરિકા પર 84% વધારાનો ટેરિફ લાદ્યો
અમેરિકા-ચીન વેપાર તણાવ વચ્ચે ટ્રમ્પનું આ અત્યાર સુધીનું સૌથી આક્રમક પગલું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “વિશ્વ બજારો પ્રત્યે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા અનાદરના જવાબમાં, અમેરિકા હવે 125% ડ્યુટી વસૂલશે. ચીને સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોનું શોષણ હવે સહન કરવામાં આવશે નહીં.”

બુધવારે અગાઉ, ચીને પણ અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પરનો ટેક્સ વધારીને 84 ટકા કર્યો હતો, જે પહેલા 34 ટકા હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ પગલાની ટીકા કરી અને કહ્યું કે તે તેના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે નક્કર અને મજબૂત પગલાં લેશે.

ભારત સહિત 75 દેશોને રાહત
હાલમાં અમેરિકાના આ ટેરિફ અભિયાનમાં ભારત સહિત 75 દેશોને રાહત મળી છે. આ દેશો પર નવા ટેરિફ દરો લાગુ થશે નહીં અને તેમને 90 દિવસની છૂટ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી ફક્ત 10% ફી લેવામાં આવશે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે જણાવ્યું હતું કે મેક્સિકો અને કેનેડાને 10% ટેરિફ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમને રાહત આપશે.

કયા દેશ પર કેટલો ટેરિફ લાદવામાં આવ્યો હતો ?
ટ્રમ્પે શરૂઆતમાં ઘણા એશિયન દેશો પર 30 ટકાથી લઈને 45 ટકા સુધીના ટેરિફ લાદ્યા હતા. આમાં ભારત પર 26 ટકા ટેરિફનો સમાવેશ થતો હતો. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે વિયેતનામથી આયાત થતા માલ પર 46%, યુરોપિયન યુનિયન પર 20%, સ્વિટ્ઝર્લૅન્ડ પર 31% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *