તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી તેની કસ્ટડી માંગવામાં આવશે. પૂછપરછની આ પ્રક્રિયા ઘણા અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેમાં મુંબઈ હુમલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક વિશે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે.

ભારત લાવ્યા બાદ, તહવ્વુરને તિહાર જેલના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાણાને જેલમાં રાખવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે જેથી રાણાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકાય. રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી છે.

મહત્વના મુદાઓને લઈ થશે પૂછપરછ
NIA રાણા પાસેથી જાણવાનો પ્રયાસ કરશે કે મુંબઈ હુમલાના કાવતરામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ની શું ભૂમિકા હતી. પૂછપરછ દરમિયાન, રાણા પાસેથી હેડલી સાથેના તેના સંબંધો કેટલા હતા અને તેને ભારત માટે વિઝા અપાવવામાં તેણે શું ભૂમિકા ભજવી હતી તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. રાણાને પોતાના બચાવ માટે વકીલની નિમણૂક કરવાનો અધિકાર રહેશે, અને તે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરી શકશે.

ડેવિડ કોલમેન હેડલી સાથે ગાઢ સંબંધ
તહવ્વુર રાણાના પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે ગાઢ સંબંધો હતા. હેડલી 26/11 ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો, જેણે 2008 માં પાકિસ્તાનથી 10 આતંકવાદીઓના ગ્રુપ સાથે મુંબઈમાં ઘૂસણખોરી કરી હતી અને મુંબઈમાં આતંકવાદી હુમલો કર્યો હતો. રાણાએ હેડલીને ભારતનો વિઝા મેળવવામાં મદદ કરી હતી, જે હુમલાના કાવતરાનો મુખ્ય ભાગ હતો.

અમેરિકાથી રાણાનું પ્રત્યાર્પણ: મોદી સરકાર માટે મોટી સફળતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજદ્વારી કુશળતાને કારણે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને ભારતમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથેની પ્રેસ કોન્ફરન્સમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે રાણાને પ્રત્યાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ મોદી સરકારની એક મોટી રાજદ્વારી જીત છે, જે ભારત પર હુમલો કરનારાઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ પર કટાક્ષ
ગૃહમંત્રી અમિત શાહે આડકતરી રીતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે 2008માં મુંબઈ હુમલા વખતે જે લોકો સત્તામાં હતા તેઓ રાણાને કેસનો સામનો કરવા માટે ભારતમાં લાવી શક્યા નહીં. શાહે આને વડાપ્રધાન મોદીની રાજદ્વારીની સફળતા ગણાવી, જેના કારણે રાણાનું પ્રત્યાર્પણ શક્ય બન્યું.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *