ભારતીય ક્રિકેટર Kuldeep Yadav 14 માર્ચે લગ્ન કરશે, દુલ્હનને લઈને ચાહકોમાં વધતી ઉત્સુકતા.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવની 14 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં તેમની દુલ્હનને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. ક્રિકેટપ્રેમીઓ અને ફેન્સ માટે આ લગ્ન ખાસ ઉત્સુકતા પેદા કરી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ 14 માર્ચે ઉત્તરાખંડના સુંદર શહેર મસૂરીમાં સાત ફેરા લેશે. કુલદીપ યાદવ 14 માર્ચે કરશે લગ્ન ભારતીય ટીમના સ્ટાર સ્પિનર Kuldeep Yadav ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. 14 માર્ચે તેઓ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરશે. લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કોણ છે કુલદીપ યાદવની દુલ્હન?…
સોલધરા ગામની “લખપતિ દીદી” અસ્મિતાબેન પટેલ: ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ
Gandhinagar, 7 માર્ચ 2026: “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાકાર કરતી પ્રેરણાદાયક કહાની છે Soldhara ગામની અસ્મિતાબેન અશોકભાઈ પટેલની. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલી અસ્મિતાબેને પોતાની મહેનત, સંઘર્ષ અને આત્મવિશ્વાસથી માત્ર પોતાને જ નહીં, પરંતુ ગામની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો માર્ગ બતાવ્યો છે. આજે તેઓ “લખપતિ દીદી” તરીકે ઓળખાય છે અને ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. Chikhli તાલુકાના સોલધરા ગામમાં જન્મેલી અસ્મિતાબેન બાળપણથી ખેતી અને પશુપાલનના માહોલમાં ઉછર્યાં. જીવનમાં પડકારો પણ ઓછા નહોતા. અભ્યાસ દરમિયાન પિતાના અવસાનનો આઘાત સહન કર્યો, પરંતુ પરિવારના સહકાર અને પોતાના દ્રઢ મનોબળના કારણે તેમણે શિક્ષણ અને પ્રગતિનો માર્ગ છોડ્યો નહીં. લગ્ન પછી પણ તેમણે અભ્યાસ ચાલુ રાખી B.A.ની ડિગ્રી મેળવી અને જીવનમાં કંઈક નવું કરવાનું સપનું સાકાર કરવા…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે — મહિલા હેલ્પ ડેસ્ક ન્યાય અને સુરક્ષાનું સરનામું
આજના સમયમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ સમાજના વિકાસ માટે અત્યંત મહત્વનો મુદ્દો બની ગયો છે. મહિલાઓને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવાના હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં ‘મહિલા હેલ્પ ડેસ્ક’ની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ પહેલ મહિલાઓને કાયદાકીય સહાય, માર્ગદર્શન અને ત્વરિત ન્યાય ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. મહિલા હેલ્પ ડેસ્કનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓ મુશ્કેલીની ઘડીમાં કોઈ પણ સંકોચ વગર પોલીસનો સંપર્ક કરી શકે. દરેક હેલ્પ ડેસ્ક પર મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવે છે જેથી પીડિત મહિલા પોતાની વાત નિઃસંકોચ રીતે રજૂ કરી શકે. ઘરેલું હિંસા, છેડતી, સાયબર ક્રાઈમ જેવા કેસોમાં તાત્કાલિક કાર્યવાહી સાથે જરૂરી કાઉન્સેલિંગ અને કાયદાકીય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. મહિલાઓ દ્વારા…
ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં 100 ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે. આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર…
ગુજરાતમાં લાંબા ગાળાની ગરમીની આગાહી, આગામી દિવસોમાં હિટવેવનો ખતરો
ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં સતત વધારો થવાને કારણે દિવસ દરમિયાન ઉકળાટ વધશે અને લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત રહેશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે હિટવેવ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. Bhavnagar જિલ્લામાં આગામી બે દિવસ હિટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે Porbandar અને Diu માં પણ તાપમાનમાં વધારો સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની અને દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં…
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…
નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ: વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો ૯૩મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ SMVS ના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી PM નરેન્દ્ર મોદી એ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે
અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014 થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું તેમણે ઉમેર્યું હતું. દેશની એકતા અને અખંડિતાના શિલ્પી લોકપુરુષ સરદાર સાહેબની 150મી જયંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે ઊજવી રહ્યા છીએ, એવું જણાવી મુખ્યમંત્રી એ કહ્યું હતું કે સરદાર વલ્લભ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી…















