અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.

  • Related Posts

    કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

    ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…

    જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

    રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…