રાશિફળ/16 એપ્રિલ 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ…
પંચાંગ : 16 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી તૃતીયા (ત્રીજ) 01:20 PM નક્ષત્ર અનુરાધા પૂર્ણ રાત્રિ કરણ : વિષ્ટિ ભદ્ર 01:20 PM ભાવ 01:20 PM પક્ષ કૃષ્ણ યોગ વ્યતાપતા +00:16 AM દિવસ બુધવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:55 AM ચંદ્રોદય 10:00 PM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 06:47 PM ચંદ્રાસ્ત 07:29 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…
April16 : આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય કેળા દિવસ, દુનિયાના સૌથી જૂના અને લોકપ્રિય ફળને સમર્પિત એક ખાસ દિવસ
એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારે ઉજવાતા રાષ્ટ્રીય કેળા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં થઈ રહી છે. આજના દિવસે લોકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાને ખાઈને, વિવિધ ડીશ બનાવીને અને સોશિયલ મીડિયા પર કેળા સાથેની મઝાની પોસ્ટ્સ શેર કરીને આ દિવસને ખાસ બનાવી રહ્યા છે. કેળાનું ઐતિહાસિક મહત્વ શું તમે જાણો છો કે કેળા એ વિશ્વના સૌથી જૂના ઉગાડવામાં આવેલા ફળોમાંનું એક છે? ઈસુ પૂર્વે 327માં આરબ વેપારીઓ દ્વારા કેળાની ઓળખ પાશ્ચાત્ય વિશ્વ સુધી પહોચી, અને ત્યારબાદ તે એશિયા, આફ્રિકા અને અંતે નવી દુનિયામાં ફેલાયો. કેળા માટેનો વિશાળ વેપાર 1834માં શરૂ થયો હતો, પણ 1865માં અમેરિકામાં કેળાની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી. બોસ્ટન ફ્રૂટ કંપની, જે અમેરિકામાં કેળાની આયાત કરતી પ્રથમ કંપની હતી, તેની સ્થાપના લોરેન્ઝો ડાઉ બેકર દ્વારા કરવામાં આવી હતી.…
Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ
ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે. આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી. મીરાબાઈ ચાનુએ શું કહ્યું? પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.” મીરાબાઈ ચાનુ જે રીતે…
દુબઈમાં પાકિસ્તાની દ્વારા તલવારથી હુમલો, તેલંગાણાના બે લોકોના મોત
દુબઈમાં એક ભારતીય બેકરીમાં કામ કરતા ત્રણ ભારતીય કામદારો પર તલવારથી થયેલા હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો એક પાકિસ્તાની નાગરિક દ્વારા કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આરોપ છે, જેમાં હુમલાખોરે હુમલાના સમયે ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યો હતો. શું બન્યું? મળતી માહિતી મુજબ ઘટનાની નોંધ 11 એપ્રિલે લેવાઈ હતી, જ્યારે દુબઈની એક બેકરીમાં ત્રણ ભારતીયો પર તલવારથી અચાનક હુમલો કરવામાં આવ્યો. હુમલામાં અષ્ટપુ પ્રેમસાગર (ઉ.વ. 35), નિવાસી સોન ગામ, નિર્મલ જિલ્લો, તથા શ્રીનિવાસ, નિવાસી નિઝામાબાદના ઘટના સ્થળે જ મોત થયા. ત્રીજો શખ્સ, સાગર ગંભીર રીતે ઘાયલ થયો છે અને દુબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતોના પરિવારજનો અનુસાર, પાકિસ્તાની હુમલાખોરે હુમલાની પહેલા અને દરમ્યાન ધર્મસંબંધિત સૂત્રોચ્ચાર કર્યો હતો, જેને કારણે…
Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત
શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની વિગત: કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક…
Russia: કથિત ઉગ્રવાદના દોષિત પત્રકારો જેલમાં ધકેલાશે
રશિયામાં સ્વતંત્ર પત્રકારત્વ માટે હાલની પરિસ્થિતિ વધુ દુઃખદ બની છે. મંગળવારે રશિયન કોર્ટે ચાર જાણીતા અને નિષ્પક્ષ પત્રકારોને ‘ઉગ્રવાદ’ના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષ અને છ મહિનાની જેલસજા ફટકારી. આ ચારેય પત્રકારો પર રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી નેતા એલેક્સી નવલનીના પ્રતિબંધિત ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકાયો હતો. આરોપ શું છે? ચારેય પત્રકારો – એન્ટોનીના ફેવર્સ્કાયા, ક્રિસ્ટાન્ટિન ગેબોવ, સેર્ગેઈ કારેલિન, અને આર્ટીઓમ ક્રિગર પર એવો આરોપ છે કે તેઓ નવલનીના સંગઠન માટે કાર્ય કરી રહ્યા હતા, જે રશિયન સરકારે 2021માં “ઉગ્રવાદી સંગઠન” જાહેર કર્યું હતું. કોર્ટની કાર્યવાહી બંધ દરવાજા પાછળ થઈ હતી, જેમાં અરજદારો કે પત્રકારોને સાર્વજનિક રીતે બચાવવાનો અવસર પણ મળ્યો નહોતો. પત્રકારોએ પોતાની નિર્દોષતા જાળવી રાખી અને દલીલ કરી કે તેઓ માત્ર…
ફ્રાન્સે 12 અલ્જેરિયન રાજદ્વારીઓ વિરુદ્ધ લીધો મહત્વનો નિર્ણય
ફ્રાંસ અને અલ્જેરિયા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રાજદ્વારી તણાવને નવા વળાંક મળ્યો છે. ફ્રાંસે મંગળવારે જાહેરાત કરી કે તેણે અલ્જેરિયાના 12 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ફ્રાંસે અલ્જેરિયામાં તૈનાત પોતાના રાજદૂતને પણ વાટાઘાટ માટે પૅરિસ પાછા બોલાવ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા મુજબ, આ નિર્ણય “દુર્લભ પરંતુ જરૂરી” હતો. અલ્જેરિયાના અધિકારીઓમાં એક એવા વ્યક્તિનો સમાવેશ થાય છે, જેના પર ફ્રાંસમાં ‘રાજકીય કાવતરું અને આતંકવાદથી જોડાયેલા આરોપો’ મૂકાયા છે. આ પગલાંને પૂર્વએલ્ચર તરીકે જોવામાં આવી રહ્યું છે, અને તે સ્પષ્ટ સંકેત આપે છે કે દ્વિપક્ષીય સંબંધો ફરીથી તૂટવાના કાંઠે છે. શું છે તણાવનું મૂળ…? તણાવનો મૂળ વિષય છે અલ્જેરિયાના વિપક્ષી નેતા અને એક્ટિવિસ્ટ અમીર બુખૌરસ જેને 2024માં ફ્રાંસમાંથી રહસ્યમય રીતે અપહરણ કરી લેવાયા હોવાનો…
PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 16 રનથી જીત હાંસલ કરી. મેચ દરમિયાન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમનો ઈનિંગ માત્ર 15.3 ઓવરમાં 111 રન પર સમાપ્ત થયો હતો. જવાબમાં, KKRની ટીમ 15.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પંજાબે IPL ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યાંકનો સફળ બચાવ કર્યો છે. CSKનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો આ જીત સાથે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 2009માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009માં, ડરબનમાં CSKએ પંજાબ સામે 117 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો હતો, ત્યારે પંજાબની ટીમ 92 રન…
બાળકોની તસ્કરી પર સુપ્રીમ કોર્ટ કડક: ઉત્તર પ્રદેશ સરકાર અને હાઈકોર્ટેને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે બાળ તસ્કરી જેવા ગંભીર ગુનાઓ પ્રત્યે બેદરકારી પર કડક વલણ અપનાવ્યું અને ઉત્તર પ્રદેશ સરકાર અને અલ્હાબાદ હાઈકોર્ટને ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે આવા કેસોમાં વિલંબ અસ્વીકાર્ય છે અને આ માટે હવે દેશવ્યાપી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે નીચલી અદાલતોએ બાળ તસ્કરી સંબંધિત તમામ કેસોની સુનાવણી છ મહિનાની અંદર પૂર્ણ કરવી જોઈએ. ઉપરાંત, આ કેસોની દૈનિક ધોરણે સુનાવણી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તમામ હાઈકોર્ટ પાસેથી મંગાવ્યો રિપોર્ટ સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટને તેમની ગૌણ અદાલતોમાં પેન્ડિંગ બાળ તસ્કરીના કેસોનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી તેની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરી શકાય. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી? ઉત્તર પ્રદેશના…
















