તહવ્વુર રાણાને લઈ યુએસ એજન્સીએ મહત્વપૂર્ણ માહિતી NIA સાથે કરી શેર, થયા મોટા ખુલાસા

26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ ભારત લાવવામાં આવ્યો છે. હાલમાં તે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની કસ્ટડીમાં છે. રાણા પર હુમલાના કાવતરામાં ઊંડી સંડોવણીનો આરોપ છે. અમેરિકી તપાસ એજન્સી દ્વારા NIA સાથે શેર કરવામાં આવેલી માહિતીમાં હુમલા સંબંધિત ઘણા મોટા ખુલાસા થયા છે. દરિયાઈ મોજાઓએ હુમલાની તારીખ બદલી નાખી હતી અમેરિકાના અહેવાલો અનુસાર, હુમલાની મૂળ તારીખ મુલતવી રાખવી પડી કારણ કે તે સમયે મુંબઈમાં દરિયાઈ મોજા ખૂબ જ જોરદાર હતા. પાકિસ્તાન, ISI, લશ્કર-એ-તૈયબા અને તહવ્વુર રાણા મોજા શાંત થવાની રાહ જોઈ રહ્યા હતા જેથી હુમલો કરી શકાય. રાણાને હુમલાની સંપૂર્ણ માહિતી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે હેડલીએ હુમલા સંબંધિત બધી માહિતી રાણાને આપી હતી. બંને મે 2008 માં શિકાગોમાં મળ્યા…

ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…

Karnataka: મસ્જિદની બહાર મહિલાને આપવામાં આવી ‘તાલિબાની સજા’, વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં

9 એપ્રિલના રોજ, કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી તાલુકાના તવરેકેરે ગામમાં 38 વર્ષીય મુસ્લિમ મહિલા શબીના બાનુ પર ટોળાએ જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના મસ્જિદની બહાર બની હતી, જ્યાં ડઝનબંધ લોકોની હાજરી હોવા છતાં, કોઈએ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. લાકડીઓ, પાઇપ અને સળિયાથી માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ આ મામલાએ જોર પકડ્યું હતું. શબીનાનો ‘ગુનો’ શું હતો? આ ઘટનાના બે દિવસ પહેલા, શબીનાના સંબંધીઓ નસરીન અને ફયાઝ તેના ઘરે તેને મળવા આવ્યા હતા. પતિ જમીલ અહેમદે તેણીને ઘરે જોઈને નારાજગી વ્યક્ત કરી અને મસ્જિદ સમિતિને આ અંગે ફરિયાદ કરી. આ પછી શબીના સહિત ત્રણેયને મસ્જિદમાં બોલાવવામાં આવ્યા, જ્યાં શબીનાને બહાર ટોળાને સોંપી દેવામાં આવી. આ પછી, જાહેર ટોળાએ મસ્જિદની…

ઉત્તર પ્રદેશના લખનૌમાં લોકબંધુ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, એક વૃદ્ધનું મોત

સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતની તપાસમાં, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના બીજા માળે આગ લાગી હતી, જ્યાં થોડી જ વારમાં ધુમાડો અને જ્વાળાઓ આખા ફ્લોર પર ફેલાઈ ગઈ હતી. ત્યાં હાજર દર્દીઓ, એટેન્ડન્ટ્સ અને સ્ટાફમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઓક્સિજન સપ્લાય બંધ, એક વૃદ્ધનું મોત હોસ્પિટલમાં ફેલાયેલા ધુમાડા અને ઓક્સિજન સપ્લાય બંધ થવાને કારણે 61 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. અકસ્માત સમયે, બીજા માળે બાળકોનું NICU અને મહિલા યુનિટ હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. 200 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા આગની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે કાચ તોડીને અને સીડીઓ દ્વારા દર્દીઓને બહાર કાઢ્યા. કુલ 200…

CAA વિરોધની જેમ જ થઈ રહ્યો છે વક્ફ કાયદાનો વિરોધ ! બંનેની પેટર્ન એક સરખી જ કેમ ?

વકફ સુધારા કાયદાના અમલ સાથે, દેશના ઘણા ભાગોમાં તેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળ આ વિરોધનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મુર્શિદાબાદ અને દક્ષિણ 24 પરગણા જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ કાયદો વકફ મિલકતો પરના નિયંત્રણ અંગે ચોક્કસ સમુદાયમાં અસંતોષ પેદા કરી રહ્યો છે. ભાંગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી. અગાઉ મુર્શિદાબાદમાં પણ આવી જ હિંસા જોવા મળી હતી, જેના કારણે રાજ્યમાં અશાંતિ ફેલાઈ હતી. CAA વિરોધ પ્રદર્શનો જેવી જ પેટર્ન ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનોની પેટર્ન મોટાભાગે વર્ષ 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધના આંદોલનો સાથે…

Surat: પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ હેલ્મેટનો કાયદો રદ્દ કરવા CMને લખ્યો પત્ર, ઉઠવ્યા આ સવાલો

રાજ્યમાં એક તરફ ગરમીનો પારો દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. આ દરમિયાન બીજી તરફ હેલમેટનો કાયદો લોકો માટે માથાના દુખાવા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ હવે સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લોકોના હેલમેટના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સિટી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવા અપીલ કરી છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો જે આજે હેલ્મેટ પ્રજા ને સીટી વિસ્તાર માં આરોગ્યને માટે જોખમ રૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજ ના ડોકટરોનો અભિપ્રાય લો…

EDએ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યા છે. તેઓ પૂછપરછ માટે ED ઓફિસ પણ પહોંચી ગયા છે. આ દરમિયાન વાડ્રાએ કહ્યું કે અમે કંઈપણ માટે તૈયાર છીએ. જ્યારે હું લઘુમતીઓ માટે બોલું છું, ત્યારે આપણને દબાવવામાં આવે છે. રાહુલને સંસદમાં દબાવી દેવામાં આવે છે. ગુરુગ્રામના શિકોપુર ગામમાં જમીન સોદાના સંદર્ભમાં વાડ્રાને આ સમન્સ જારી કરવામાં આવ્યું છે. સમગ્ર મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કેસમાં વાડ્રાને પહેલી વાર બોલાવવામાં આવ્યા છે. હરિયાણા પોલીસે 2018 માં આ કેસમાં FIR નોંધી હતી. જાણો શું છે મામલો આ કેસ ફેબ્રુઆરી 2008 ના એક જમીન સોદા સાથે સંબંધિત છે, જે હેઠળ રોબર્ટ…

Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં  17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે.  મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…

મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ

બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. CBI અને EDના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે. તબીબી આધાર પર માંગ્યા જામીન સોમવારે…

અંક જ્યોતિષ/15 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…