મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) – ના સભ્યો આ સાંપ્રદાયિક હિંસામાં સામેલ હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાહ્ય તત્વોને હિંસા ફેલાવવામાં સ્થાનિક રાજકીય નેતાઓનો ટેકો મળ્યો હતો, જેનાથી મામલાની ગંભીરતા વધુ વધી ગઈ. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જે લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી અને ISIS જેવા જૂથો સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશ સરકારે 2005 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંગઠન ભારતમાં પણ પ્રતિબંધિત છે. અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) પણ બાંગ્લાદેશથી કાર્યરત એક આતંકવાદી સંગઠન છે, જે 2013-2015 વચ્ચે નાસ્તિક બ્લોગર્સની હત્યામાં સામેલ હોવાનું માનવામાં…
વકફ સુધારા કાયદાને પડકાર: સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ
વિરોધ પક્ષોના ભારે વિરોધ છતાં, વકફ (સુધારા) અધિનિયમ, 2025 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે અને હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આજથી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરશે. અત્યાર સુધીમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ સૂચિબદ્ધ થઈ ગઈ છે. અરજીકર્તાઓમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB), જમિયત ઉલેમા-એ-હિંદ, DMK અને કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. આ નેતાઓ વકફ કાયદાને પડકારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે તે બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે. કેન્દ્રનો જવાબ: સુનાવણી પહેલાં કોર્ટે ચેતવણી આપી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે જેથી…
વડોદરા પાલિકાના કર્મચારીઓ સેન્ટ્રલ સ્ટોરમાં રમતા હતા જુગાર ! વાયરલ વીડીયોથી ઉઠ્યા અનેક સવાલો
એક તરફ જુગાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે . બીજી તરફ વડોદરામાં પાલિકાના કર્મચારીઓ જ સેન્ટ્રલ સ્ટોરમાં જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરા પાલિકાના મુજમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં જુગારનો ખેલ ખેલાતો હોવાનો વીડીયો વાયરલ થયો છે. જોકે, વાઇરલ વીડિયોની B India news પુષ્ટિ નથી કરતું. શહેરી વિકાસ માટે રચાયેલ મશીનરી હવે જુગાર માટે વપરાઈ રહી છે એ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલિકા મજૂમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં ફરજ પર હાજર કેટલાક કર્મચારીઓ જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાના દાવા સાથે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેમેરો સામે આવતા જ બગડ્યો ખેલ કર્મચારીઓ ફરજને નેવે મૂકી જુગાર રમવામાં મશગુલ જોવા મળ્યા હતા. જેમ જ કેમેરો કાર્યરત થયો, તેમ…
નડિયાદ : બેકરીમાં બાળ મજૂરીનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, ઉઠ્યા અનેક સવાલો
નડિયાદ શહેરની એક પફ બનાવતી બેકરીનો બાળ મજૂરી સંબંધિત વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. વીડિયોમાં બે કરતા વધુ બાળકોને બેકરીના કાર્યમાં જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. , જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. આ દરમિયાન શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિ આ અંગે કેવા પ્રકારના પગલાં આ પફ બનાવતી બેકરી પર લેશે તે જોવું રહ્યું. વીડિયો વાયરલ થતા જ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે. બીજી તરફ બેકરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોની ઉંમર, કામના સમયગાળા અને પરિસ્થિતિઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બેકરી સંચાલક સામે બાળકમજૂરી પ્રતિબંધ કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. ભારત સરકારના કાયદા અનુસાર, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારના શ્રમ કાર્યમાં રોકવામાં…
રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ
રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા સર્કલ વિસ્તારમાં એક સિટી બસે ભયાનક અકસ્માત સર્જતા ત્રણ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. તો બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ લોકોનો સીટી બસ તરફ રોષ હતો. ત્યારે બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોના ભારે રોષ બાદ સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની…
Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી
ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રી સમક્ષ રજૂઆત જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી.…
Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની ઊંડાઈ 121 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર બગલાન શહેરથી 164 કિલોમીટર પૂર્વમાં હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે લગભગ 4:44 વાગ્યે (ભારતીય સમય) આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભૂકંપને કારણે અફઘાનિસ્તાન કે ભારતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જોકે, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં લોકોએ હળવાથી મધ્યમ ભૂકંપના આંચકા અનુભવ્યા. EQ of M: 5.9, On: 16/04/2025 04:43:58 IST, Lat: 35.83 N, Long: 70.60 E, Depth: 75 Km, Location:…
રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પર ફોકસ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયોમાં 14,269.73 મિલિયન ઘન…
બાંગ્લાદેશનો ‘આત્મઘાતી’ નિર્ણય, યુનુસ સરકારે ભારતમાંથી દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ; જાણો વિગત
બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય હેઠળ, બેનાપોલ, ભોમારા, સોનામસ્જીદ, બાંગ્લાબંધા અને બુરીમારી જેવા મુખ્ય ભૂમિ બંદરો દ્વારા યાર્નની આયાતને હવે મંજૂરી આપવામાં આવશે નહીં. બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન (BTMA) ની ફરિયાદો બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાંથી સસ્તા યાર્નની આયાત સ્થાનિક કાપડ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડી રહી છે. BTMA કહે છે કે ભારતમાંથી જમીન માર્ગે આયાત કરાયેલા યાર્નની કિંમત દરિયાઈ માર્ગે આવતા યાર્ન કરતાં ઘણી ઓછી છે, જેના કારણે સ્થાનિક મિલોને સ્પર્ધાત્મક ગેરલાભનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદાહરણ તરીકે, 30 સિંગલ યાર્નનો ભાવ બાંગ્લાદેશમાં પ્રતિ કિલો $3.40 છે, જ્યારે ભારતમાં તે $2.90 અને વિયેતનામમાં $2.96…
અંક જ્યોતિષ/16 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
















