સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું , કહ્યું POK છોડવું પડશે.

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેની કાર્યવાહી માટે ઘેર્યું છે. આ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પર ચર્ચાનો પ્રસંગ હતો. અહીં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. જોકે, આ વખતે પણ ભારતે પાડોશી દેશને અરીસો બતાવ્યો અને તેને સખત ઠપકો આપ્યો. હકીકતમાં, ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પી. એ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું, ‘પાકિસ્તાન વારંવાર આપણા જમ્મુ અને કાશ્મીર પર પાયાવિહોણા અને બિનજરૂરી નિવેદનો આપે છે.’ આવા નિવેદનો પાકિસ્તાનના ખોટા દાવાઓ કે આતંકવાદ ફેલાવવાની તેની નીતિને ન્યાયી ઠેરવી શકતા નથી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને તેણે તે વિસ્તાર ખાલી કરવો પડશે. હરીશે પાકિસ્તાનને તેની સંકુચિત વિચારસરણી અને વિભાજનકારી નીતિઓ છોડીને શાંતિ…

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો

રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. જ્યારે આગામી એપ્રિલ મહિનાના આરંભમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉલ્લેખનિય છે કે, માર્ચ મહિનાના મધ્યમાં હવામાનમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાના અંત સાથે જ ભૂક્કા બોલાવશે તેવી કાળઝાળ ગરમી જોવા મળશે. –> એપ્રિલમાં અંગ દઝાવતી ગરમીનો અહેસાસ થશે:- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો…

ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, અમદાવાદનાં આજે આ રૂટ રહેશે બંધ

અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ યોજાનારી આગામી IPL ની ડે-નાઈટ ક્રિકેટ મેચો રમાવવાની છે. GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. –>શહેરનાં આ રૂટ બંધ રહેશે:- અમદાવાદ શહેરના જનપથ…

IPL 2025: દિલ્હી કેપિટલ્સે એવી સિદ્ધિ હાંસલ કરી કે જેના માટે અન્ય IPL ટીમો ઉત્સુક છે

દિલ્હી કેપિટલ્સ ટીમે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. લક્ષ્યનો પીછો કરતી વખતે એક વિકેટથી જીત મેળવનારી IPL ઈતિહાસની તેઓ પાંચમી ટીમ બની ગઈ છે. ડીસી પહેલા આ મોટી સિદ્ધિ કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના નામે નોંધાઈ હતી. ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની રોમાંચક મેચ જીત્યા બાદ હવે ડીસી ટીમ પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. IPL 2025 ની ચોથી મેચ ગયા સોમવારે (24 માર્ચ) દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે વિશાખાપટ્ટનમના ડૉ. YS રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી એલએસજીની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. વિપક્ષી ટીમે આપેલા 210 રનના લક્ષ્યાંકનો પીછો…

આશુતોષ શર્માના નહીં પણ આ ખેલાડીના કારણે દિલ્હી કેપિટલ્સ જીતી, મોહમ્મદ કૈફના નિવેદને મચી સનસનાટી

IPL 2025 ની ચોથી મેચ 24 માર્ચે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. જ્યાં આશુતોષ શર્માની વિસ્ફોટક બેટિંગના કારણે ડીસીની ટીમ એક વિકેટથી જીતવામાં સફળ રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો વિચાર અલગ છે. તેમનું માનવું છે કે છેલ્લી મેચમાં ડીસી આશુતોષના કારણે નહીં પરંતુ કુલદીપ યાદવના કારણે જીત્યો હતો. મોહમ્મદ કૈફે વાતચીત દરમિયાન કહ્યું, ‘કુલદીપ યાદવે અંતે ફરક કર્યો. તેણે મેચમાં 15 ડોટ બોલ ફેંક્યા હતા. તે ડીસી માટે સૌથી વધુ આર્થિક બોલર હતો અને તેણે બે સફળતાઓ પણ હાંસલ કરી હતી. તે ઘણીવાર રડારથી બહાર રહે છે. રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તેનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો હતો. આકાશ ચોપરા પણ મોહમ્મદ કૈફના નિવેદન સાથે સહમત…

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…

ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…

અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ

અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ પાસેથી બાળકોની ટયુશન ફી ભરવા પૈસા માંગ્યા હતા. મહિલાએ પૈસા માંગતા પતિ માર મારવા લાગ્યો હતો. આટલેથી ના અટકી આ મુસ્લિમ શખ્સે તેની પત્નીને ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી તલાક આપ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. –> સાવ મામૂલી બાબતમાં અપાયો તલાક:- પીડિત મહિલાનું કહેવું છે કે, તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી. બાળકો અને તેમનું ભરણપોષણ પતિની આવકમાંથી જ થાય છે. અને એટલે જ બાળકોના અભ્યાસ માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. આજના સમયમાં બાળકોના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટયુશન પણ…

અમદાવાદમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત થયા હતા. ત્યારે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. –> વિક્રમસિંહ ઝાલાનું બાઇકચાલકની અડફેટે મોત:- નિકોલમાં રહેતા 64 વર્ષીય વિક્રમસિંહ ઝાલા નિવૃત જીવન ગુજારતા હતા. સોમવારે વહેલી સવારે તેઓ ઘરેથી વોકિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ચાલતા ચાલતા તેઓ બાપુનગર બીઆરટીએસ એપ્રોચ પાસે પહોચ્યા તે સમયે રેલિંગની અંદર ચાલતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા બાઇકચાલકે તેમને અડફેટે લેતા ફ્ંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં આગામી સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી…