અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ

અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ પાસેથી બાળકોની ટયુશન ફી ભરવા પૈસા માંગ્યા હતા. મહિલાએ પૈસા માંગતા પતિ માર મારવા લાગ્યો હતો. આટલેથી ના અટકી આ મુસ્લિમ શખ્સે તેની પત્નીને ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી તલાક આપ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

–> સાવ મામૂલી બાબતમાં અપાયો તલાક:- પીડિત મહિલાનું કહેવું છે કે, તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી. બાળકો અને તેમનું ભરણપોષણ પતિની આવકમાંથી જ થાય છે. અને એટલે જ બાળકોના અભ્યાસ માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. આજના સમયમાં બાળકોના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટયુશન પણ જરૂરી છે. આગામી સમયમાં બાળકોના અભ્યાસનું નવુ સત્ર શરૂ થવાનું છે. એટલે નવા અભ્યાસ માટે ટયુશન પણ અત્યારે જ નક્કી કરવાના હોય છે. અને એટલે જ ટયુશન ફી માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ પૈસા માંગતા જ પતિનો ક્રોધે ભરાયો હતો. અને ગુસ્સામાં આવી મને તલાક..તલાક..તલાક.. એમ ત્રણ વખત બોલી તલાક આપી દીધો હતો.

–>ત્રિપલ તલાક કાનૂન મુસ્લિમ મહિલાઓ માટે મદદરૂપ:- ઉલ્લેખનિય છે કે, અન્ય એક કિસ્સામાં મહિલાએ બાળકીને જન્મ આપતા સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી હતી. કહી શકાય કે મુસ્લિમ મહિલાઓ માટે ત્રિપલ તલાક કાનૂન મદદરૂપ સાબિત થયો છે. મોટાભાગે મુસ્લિમ મહિલાઓ આર્થિક રીતે તેમના પર પતિ પર નિર્ભર હોય છે અને જ્યારે તેઓ ખર્ચ માટે પૈસા માગે છે ત્યારે પતિ ક્રોધિત થાય છે અને તલાક..આપવા જેવા પગલા લે છે. પરંતુ હવે ત્રિપલ તલાક કાનૂનની મદદ લઈ મુસ્લિમ મહિલાઓ પતિ પાસેથી ભરણપોષણનો હક મેળવે છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *