રણવીર અલ્હાબાદિયાની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, જો કે ધરપકડ પર લગાવાઇ રોક

સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને રાહત આપી અને તેમની ધરપકડ અને આ કેસમાં નવી એફઆઈઆર નોંધવા પર રોક લગાવી દીધી છે.. જોકે, સુનાવણી દરમિયાન, કોર્ટ રણવીર અલ્હાબાદિયા પર ખૂબ જ કડક દેખાઈ. એટલું જ નહીં, જ્યારે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચુડે પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોર્ટે તેમને કડક સ્વરમાં પૂછ્યું કે શું તેઓ આવી ભાષાનો બચાવ કરી રહ્યા છે. જ્યારે વકીલે ધમકીઓનો ઉલ્લેખ કર્યો, ત્યારે કોર્ટે કહ્યું કે ધમકીઓ આપનારાઓને પણ રણવીરની જેમ સમાચારમાં રહેવામાં રસ હશે. લાઈવ લોના અહેવાલ મુજબ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશવરની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે રણવીર અલ્હાબાદિયાને ઠપકો આપ્યો અને કહ્યું કે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો દરમિયાન તેણે જે વાતો કહી હતી તે અત્યંત…