2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા…
હવે મતદાર યાદીમાંથી નામ દૂર કરવું સરળ નથી… ચૂંટણી પંચે ઈ-સાઇન સિસ્ટમ કરી શરૂ; જાણો વિગત
ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના વિવાદને ઉકેલવા માટે એક નવી ટેકનોલોજી રજૂ કરી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના આલંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના નામ કાઢી નાખવા માટે મોટી સંખ્યામાં અનિયમિત અરજીઓનો પર્દાફાશ કર્યા પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી મતદાર ઓળખ કાર્ડનો દુરુપયોગ અટકાવશે. હવે, ઈ-સાઇન ટેકનોલોજી આ મુદ્દાને ઉકેલશે. ચૂંટણી પંચે તેના ECInet પોર્ટલ અને એપ પર એક નવી “ઈ-સાઇન” સુવિધા શરૂ કરી છે. આ સુવિધા હેઠળ, મતદારોએ નોંધણી, નામ કમી કરાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે તેમના આધાર-લિંક્ડ ફોન નંબરનો ઉપયોગ કરીને તેમની ઓળખ ચકાસવાની રહેશે. અગાઉ, અરજદારો કોઈપણ ચકાસણી વિના ફોર્મ સબમિટ કરી શકતા હતા, જેનાથી ઓળખના દુરુપયોગનું જોખમ રહેતું હતું. નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે? નવી સિસ્ટમ લાગુ…








