મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી હિંસા ભડકી, અનેક ઘરોને આગ ચાંપવાની ઘટના
મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક રહેણાંક ઘરોને આગ ચાંપી દેતાં દહેશત ફેલાઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પહાડી વિસ્તારોમાં સશસ્ત્ર જૂથો દ્વારા આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મોટી સંખ્યામાં ગ્રામિણોએ પોતાના ઘરો છોડીને પડોશી કાંગપોકપી જિલ્લામાં શરણ લેવા મજબૂર બન્યા છે. હિંસાની શરૂઆત શનિવાર રાત્રે થઈ હતી, જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી હતી, પરંતુ રવિવારે યોજાનારી બેઠક રદ થતાં મામલો વધુ બગડ્યો હતો. આ બાદ પડોશી ગામના લોકોએ લિટાન સારેઈખોંગ ગામના મુખિયાના નિવાસસ્થાન…







