રશિયા યુદ્ધનો અંત લાવવા તૈયાર ! પુતિન યુક્રેન સાથે સીધી વાતચીતની કરી ઓફર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે 15 મેના રોજ ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય કાયમી શાંતિ સ્થાપિત કરવાનો અને યુદ્ધના મૂળ કારણોને દૂર કરવાનો હોવો જોઈએ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, રશિયા સંઘર્ષના મૂળ કારણોને ઘટાડવા અને લાંબા ગાળાની શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ઇસ્તંબુલમાં યુક્રેન સાથે સીધી વાતચીતનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. 2022 માં રશિયન હુમલા પછી તરત જ નિષ્ફળ વાટાઘાટોનો ઉલ્લેખ કરતા, પુતિને કહ્યું કે તે રશિયા નહીં, યુક્રેન હતું જેણે વાટાઘાટો તોડી હતી. જેના કારણે 2022 માં વાટાઘાટો તૂટી ગઈ. તેમ છતાં, અમે પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ કે કિવ કોઈપણ પૂર્વશરતો વિના સીધી વાટાઘાટો ફરી શરૂ કરે. તેમણે કહ્યું, ‘અમારો પ્રસ્તાવ યુક્રેન જે કહે છે તેના…