ટાટા મોટર્સના વ્યવસાયને બે ભાગમાં વહેંચવામાં આવશે, NCLTએ આપી મંજૂરી

ટાટા મોટર્સ લિમિટેડને શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની મુંબઈ બેન્ચ તરફથી તેના પુનર્ગઠન કાર્યક્રમ માટે મંજૂરી મળી, જેનાથી 1 ઓક્ટોબરથી તેના પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનોના વ્યવસાયોના ડિમર્જર માટે માર્ગ મોકળો થયો. તેના આદેશમાં, NCLT એ સમગ્ર વ્યવસ્થા યોજનાને મંજૂરી આપી જેના હેઠળ ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોના વ્યવસાયને TML કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડ (TMLCV) માં ડિમર્જ કરવામાં આવશે, જ્યારે પેસેન્જર વાહનોના વ્યવસાયને ટાટા મોટર્સ હેઠળ એકીકૃત કરવામાં આવશે, જેનું નામ બદલીને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ રાખવામાં આવશે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, આ બે ટાટા મોટર્સ કંપનીઓ સ્વતંત્ર રીતે લિસ્ટેડ થશે, અને શેરધારકોને ટાટા મોટર્સમાં રહેલા દરેક શેર માટે એક TMLCV શેર મળશે. આ યોજનામાં ₹2,300 કરોડના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સને કોમર્શિયલ વાહન યુનિટમાં ટ્રાન્સફર કરવાનો…

ભારતીય શેરબજારમાં આજે ‘બ્લેક મન્ડે’, 10 સેકન્ડમાં જ 19 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિ લાગુ થયા પછી, વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજાર પણ આ વૈશ્વિક પ્રભાવથી બચી શક્યું નથી. સોમવાર, 7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક, BSE સેન્સેક્સ 3914.75 પોઈન્ટના ઘટાડા સાથે 71,449.94 પોઈન્ટ પર ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 1146 પોઈન્ટના ઘટાડા સાથે 21,758.40 પોઈન્ટ પર ખુલ્યો. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂ. ઘટી ગયા હતા. કોવિડ-૧૯ પછી ભારતીય શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.   ભારતીય શેરબજારમાં મોટાભાગની કંપનીઓ લાલ નિશાનમાં ખુલી:- આ ભારે ઘટાડામાં,…