માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત
B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા શોકમાં ગરકાવ — સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી –>મોબાઇલને કારણે જીવ ગયો– સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે…
ગુજરાત ટાઇટન્સ સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે IPL પ્રી-સીઝન કેમ્પ યોજશે
B India સુરત : આવતા વર્ષે માર્ચમાં શરુ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ -2025 (IPL) અગાઉ હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ તારીખ 12 થી 17 જાન્યુઆરી દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રિ-સિઝન કેમ્પનું આયોજન કરશે.આ કેમ્પ દરમિયાન જે તે સમયે કોઈ ટુર્નામેન્ટ કે લીગમાં ભાગ ન લેનાર ખેલાડીઓની સાથે ટીમના કોચિંગ અને મેનેજમેન્ટ સ્ટાફ હાજર રહેશે. સાંજે ખેલાડીઓના મુખ્ય મેદાન પર તેમના પ્રેક્ટિસ સેશન રહેશે અને તેઓ મેરિયોટ હોટલમાં રોકાશે.જાણવા મળ્યું છે કે, તેની લાલ માટીની પીચ અને અમદાવાદ અને મુંબઈની પીચ જેવી જ બાઉન્સ ધરાવતી આ સ્થળની પસંદગી આઇસીસીના ચેરમેન જય શાહની ભલામણને આધારે કરવામાં આવી હતી. આ પહેલા માર્ચ 2022માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પોતાનો કેમ્પ યોજ્યો હતો.સુકાની શુબમન…
સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી
બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ફ્લ્ગ કરી હતી. નવી બસોમાં ૪૭ બેઠક ક્ષમતા છે જેમાં ૨ બાય ૨ ચામડાની આરામદાયક પુશ બેક બેઠકો અને મોબાઇલ ફોન ચાર્જિંગ સુવિધા છે. બસો ૧૩.૫૦ મીટર લાંબી છે. તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરાની તકેદારી, સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે. હવે સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ), નહેરુનગરથી સુરત અને સુરતથી રાજકોટ સુધીની બસો ચાલુ છે.










