માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત

B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા  શોકમાં ગરકાવ —

  • સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત
  • ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત
  • પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત
  • વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો
  • માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો
  • માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી
  • પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી

 

Phone Addiction Vector Art, Icons, and Graphics for Free Download

 

–>મોબાઇલને કારણે જીવ ગયો–

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી અને મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈને માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.મૃતકનાં પિતા રાજન પ્રસાદ મિલમાં લેબર કોન્ટ્રાકટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા. બે દીકરીઓમાં વર્ષા મોટી દીકરી હતી. ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. વધુ એક લાલબતી સમાન ઘટના બન્યા બાદ મૃતક દિકરીનાં પરિજનોએ જણાવ્યું કે દીકરી એકદમ સરળ સ્વભાવની હતી. તે દરરોજ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી આવતી હતી. તેને કોઈપણ પ્રકારનો તણાવ પણ ન હોતો. ઘરના લોકો પણ તેને સારી રીતે રાખતા હતા. કોઈએ તેને માર્યું હોય એવું પણ નથી. તેને ફક્ત મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી હતી. સાંજે તેની માતા શાકભાજી લેવા જઈ રહી હતી ત્યારે મોબાઈલ લઈને ચાલી ગઈ. આ પછી દિકરીએ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો.

 

–> શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી પ્રતિક્રિયા:-

 

News & Views :: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ

 

તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે.

 

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *