સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

સુરતમાં ફરી એક યુવકે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર,અઠવાલાઈનના ગોપીપુરામાં ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા લોકો જોઈ ગયા અને આરોપી ઉવેશ શેખને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો,નરધમની હરકત જોઈ બાળકીઓએ બુમાબુમ કરી હતી. તો અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં ગોપીપુરામાં બાળકીઓ રમતી હતી તે દરમિયાન અચાનક વિકૃત અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. અને બાળકીઓ સાથે ખરાબ હરકત કરવા લાગ્યો હતો. તેને જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીઓ ભોગ બને તે પહેલા તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ પણ વાંચો :-…

સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં…

સુરતમાં સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયુ પ્લેટફોર્મ.

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું તો ઘરબેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનો પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે આ વખતે દેશમાં જે નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે તે ગૃહિણીઓ ઘર બેઠા કઈ ને કઈ નાના મોટા કામ ધંધા કરે છે તેમને પણ આપને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અહીં તેઓ પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર…

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત

B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.     –>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-   ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13…

અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો

B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્‌ટ્‌સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે.     આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો પ્રારંભ થશે. 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલને લઈને ઠપકો આપતા દિકરીએ કર્યુ આપઘાત

B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા  શોકમાં ગરકાવ — સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી     –>મોબાઇલને કારણે જીવ ગયો– સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે…

અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી

GUJARAT ACCIDENT NEWS B INDIA : અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ હતી, એમાં સવાર આશરે 20 મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે 4થી 5 લોકોને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા.   અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને અકસ્માત નડ્યો દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી આશરે 20 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા   એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી…

ગુજરાત ટાઇટન્સ સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે IPL પ્રી-સીઝન કેમ્પ યોજશે

B India સુરત : આવતા વર્ષે માર્ચમાં શરુ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ -2025 (IPL) અગાઉ હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ તારીખ 12 થી 17 જાન્યુઆરી દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રિ-સિઝન કેમ્પનું આયોજન કરશે.આ કેમ્પ દરમિયાન જે તે સમયે કોઈ ટુર્નામેન્ટ કે લીગમાં ભાગ ન લેનાર ખેલાડીઓની સાથે ટીમના કોચિંગ અને મેનેજમેન્ટ સ્ટાફ હાજર રહેશે. સાંજે ખેલાડીઓના મુખ્ય મેદાન પર તેમના પ્રેક્ટિસ સેશન રહેશે અને તેઓ મેરિયોટ હોટલમાં રોકાશે.જાણવા મળ્યું છે કે, તેની લાલ માટીની પીચ અને અમદાવાદ અને મુંબઈની પીચ જેવી જ બાઉન્સ ધરાવતી આ સ્થળની પસંદગી આઇસીસીના ચેરમેન જય શાહની ભલામણને આધારે કરવામાં આવી હતી. આ પહેલા માર્ચ 2022માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પોતાનો કેમ્પ યોજ્યો હતો.સુકાની શુબમન…

સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી

બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ફ્લ્ગ કરી હતી. નવી બસોમાં ૪૭ બેઠક ક્ષમતા છે જેમાં ૨ બાય ૨ ચામડાની આરામદાયક પુશ બેક બેઠકો અને મોબાઇલ ફોન ચાર્જિંગ સુવિધા છે. બસો ૧૩.૫૦ મીટર લાંબી છે. તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરાની તકેદારી, સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે. હવે સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ), નહેરુનગરથી સુરત અને સુરતથી રાજકોટ સુધીની બસો ચાલુ છે.