હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે. ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. જાણો શું છે મામલો ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા…

રાજકોટમાં સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોનાં મોત

શહેરમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધાર રોડ પર બે કાર વચ્ચે સામસામે અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત રાજકોટના સરધાર પાસે ભાડલા રોડ પર થયો હતો, જ્યાં બંને વાહનો વચ્ચે ઝડપથી સામસામે અથડામણ થઈ. અથડામણ એટલી ગંભીર હતી કે બંને કાર તાત્કાલિક ભડભડીને સળગી ઉઠી હતી અને થોડી જ વારમાં બળીને ખાક થઈ ગઈ. લોકોના જણાવ્યા મુજબ, ચાર વ્યક્તિઓ અકસ્માત સમયે કારમાં ફસાઈ ગઈ હતી અને તેઓ જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની…

Rajkot: પદ્મીનીબા વાળા ફરી આવ્યા વિવાદમાં, હનીટ્રેપ મામલે નોંધાયો ગોંડલમાં ગુનો

ક્ષત્રિય સમાજમાં પ્રવૃત્ત અને પોતાના આંદોલનકારી ભુમિકાને કારણે જાણીતી મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાઈ છે. તેમના અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેજલ છૈયા નામની યુવતીએ ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વીડિયો કોલ અને વોટ્સએપ મેસેજિંગ દ્વારા પ્રેમજાળમાં ફસાવ્યા હોવાનો આરોપ છે. યુવતીએ અંગપ્રદર્શન કરતાં આ વૃદ્ધને મનોવૈજ્ઞાનિક જાળમાં ફસાવી પૈસાની માંગણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં આરોપીઓએ વૃદ્ધના ઘરમાં જઈ ધાકધમકી આપી, અને જાણે પૂરતું ન હોય તેમ પદ્મિનીબા વાળાએ જણાવ્યા મુજબ, ફરિયાદી સામે રસ્તા પર કપડા કાઢી મારમારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે દાખલ કર્યો ગુનો: આ અંગે ફરિયાદીની રજૂઆતના આધારે ગોંડલ B…

રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ

રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા સર્કલ વિસ્તારમાં  એક સિટી બસે ભયાનક અકસ્માત સર્જતા ત્રણ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં  તોડફોડ કરી હતી. તો બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ લોકોનો સીટી બસ તરફ રોષ હતો. ત્યારે બીજી તરફ  પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોના ભારે રોષ બાદ સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી  છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની…

Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે. મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો :- રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું…

આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, નાણાકીય વર્ષનાં અંતને લઈ લીધો નિર્ણય

આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ નિર્ણય લીધો છે. જેથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ખેડૂતોને માલ વેચાણ માટે યાર્ડમાં ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.આજે યાર્ડમાં 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા. યાર્ડમાં આજે કઈ કઈ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને કેટલો ભાવ મળ્યો હતો તે અહીં જાણીએ. –> કપાસની આવક:- માર્કેટ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ 1330 થી 1484 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા, જે ખેડૂતો માટે સારી ખુશીનો વિષય રહ્યો છે. –> વટાણાની આવક:- વટાણાની આવકમાં પણ વધારો નોંધાયો…

Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ

રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોતને લઈને આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ NOC અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં…

Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા…

Rajkot : રાજકોટ હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ

રાજકોટમાં હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ધુળેટીના દિવસે શુક્રવાર હોવાથી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ :- હોળી અને ધુળેટી સાથે શુક્રવારની નમાઝને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. હોળી-ધુળેટી પર્વને લઇ હેડક્વાર્ટર સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG એલસીબી સહિતની બ્રાન્ચના અધિકારીઓ અને…

Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ વોકહાર્ટ ફરીથી વિવાદમાં આવી છે.હોસ્પિટલે માત્ર 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. બાળકનાં પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, હેનીલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઇજા પહોંચી હતી. આ 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખવામાં આવ્યું હતું. આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી બાળકને મેડિકલ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. અને વોકહાર્ટ હોસ્પિટલે 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર રૂપિયા આપ્યું હતું. ત્યાર બાદ બાળકનાં પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતાં. પરિવારજનોનાં…