Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી

ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા માટે બિલ્ડિંગના કાચ તોડવામાં આવ્યા છે. સાથે જ કાચ તોડીને હાઈડ્રોલિક લિફ્ટની મદદથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો

ભાજપના નેતા ભરત બોઘરાએ જણાવ્યું કે, અમે અત્યારે અહીં બચાવ કામગીરીમાં લાગ્યા છે. જે ત્રણ લોકો ઈજાગ્રસ્ત હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આગ કાબૂમાં છે. અંદર બાકીના કોઈ લોકો છે કે નહીં, તેની એક-એક ફ્લોર પર તપાસ કરીએ છે. લગભગ 60 જેટલા લોકોને ફાયરની લિફ્ટ દ્વારા નીચે ઉતારી સલામત રીતે બહાર કાઢ્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી: ₹27,000 કરોડથી વધુનું રોકાણ અને રોજગારીની તકો (Big News)

₹27,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો લક્ષ્ય: નવી મેરિટાઇમ પોલિસીથી શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળશે નવી ગતિ નવી મેરિટાઇમ પોલિસી હેઠળ શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ₹27,000 કરોડથી…

બાલવાટિકા સર્ટિફિકેટ વગર ધોરણ-1 માં પ્રવેશ: સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ કડક કાર્યવાહી Big Decision

શાળાઓ માટે રાજ્ય સરકારની કડક સૂચના: બાલવાટિકા સર્ટિફિકેટ વગર પણ આપવો પડશે પ્રવેશ, નિયમ ભંગ કરનાર સામે RTE હેઠળ કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને સ્પષ્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *