ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ હોસ્પિટલને PMJAYમાંથી કરાઈ સસ્પેન્ડ, 23.15 લાખનો ફટકાર્યો દંડ

ગુજરાતમાં દિવસેને દિવસે હોસ્પિટલોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજ્યની પીએમજય યોજનામાંથી વધુ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં આ હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PMJAYમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડૉક્ટર ગેરહાજર હતા. 6 મહિના માટે સસ્પેન્ડ :- હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં ગોટાળા નિકળ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે PMJAYમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્જરી કરતા ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર…

રાજકોટ ST વિભાગ સજ્જ , બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે કરી આવી વ્યવસ્થા

પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.

રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે. દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે. -> આરોપીઓ ફરાર થયાં :- ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને…

રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે. -> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે. -> રાજકોટમાં મચ્છરનો ત્રાસ !…

અમદાવાદ-રાજકોટ હાઈવે અકસ્માતઃ 4 વાહનોની ટક્કર, 2ના મોત

B India અમદાવાદ : બાવળા તાલુકાના ભામાસરા ગામ નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં આ દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં ચાર વાહનોની ટક્કર થઇ હતી. આ અસરને કારણે વિસ્ફોટ થયો હતો, જેના કારણે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતને પગલે નોંધપાત્ર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને આખરે સત્તાવાળાઓએ મંજૂરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે ભામાસરા ગામ પાસે રાજકોટથી અમદાવાદ જતી આઇશર ટ્રકે કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. વાહન ડિવાઇડરને પાર કરીને અન્ય વાહનો સાથે ટકરાયું હતું. સીએનજી ટ્રક હોવાથી તેમાં આગ લાગી હતી, જે…