ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ
ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સરકારનું સોગંદનામું રજૂ આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું…
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સામેની દિશાથી આવી રહેલી ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ. પોલીસે જણાવ્યું કે હિરિયુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રક અચાનક ડિવાઈડર ઓળંગી ગઈ હતી અને સામે આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. પોલીસને શંકા છે કે ટ્રક…
બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ
બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો વાયરલેસ ગેટ નજીક ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલના કાર્યાલય સામે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યું, જે સીધું સૈફુલના માથા પર પડ્યું. તેનું ઘટના સ્થળે જ મોત થયું. સુરક્ષા અને તપાસ ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશ્નર મસૂદ આલમે જણાવ્યું કે, હાલ હમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ અને પુરાવા તપાસી રહ્યા છે. મૃતક સૈફુલ મોઘબાજારમાં એક ઓટોમોબાઈલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો અને કોઈ સાથે શત્રુતા ન હતી. ક્રિસમસના તહેવાર પૂર્વે આ હુમલો આસપાસના બે મોટા ચર્ચોના નજીક થયો હોવાથી,…
સુરત: ગોગો પેપરના વેચાણ કરનારાઓ પર SOGના દરોડા, મોટો જથ્થો કરાયો જપ્ત
સુરત શહેરમાં ગોગો પેપર અને રોલનું વેચાણ કરતી દુકાનદારો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજું પીવા માટે કરવામાં આવતો હોવાથી, પોલીસ દ્વારા આ નશા માટેના કાયદેસર નેટવર્કને નાબૂદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. SOG દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન SOGની ટીમે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને અન્ય દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન, મોટા પ્રમાણમાં ગોગો પેપર અને રોલના જથ્થા મળી આવ્યા હતા, જેનો ઉપયોગ નશાખોરી માટે થતો હતો. આ તપાસમાં સક્રિયતા દર્શાવતાં, પોલીસે વિક્રેતાઓને તાત્કાલિક આ પ્રકારના પેપર અને રોલના વેચાણને બંધ કરવા માટે કડક ચેતવણી આપી છે. ઓનલાઇન વેચાણ પર પણ સંક્રમણ એક મહત્વપૂર્ણ બાબત…
ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ થાય છે. ઘટના વિગત – આગ રાત્રે લગભગ 12 વાગ્યે લાગી. – આગનું મૂળ કારણ કિચન વિભાગમાંથી હોવાનું પ્રાથમિક અનુમાન. – ભાગવાની કોશિશમાં બે મૃતદેહ સીડીઓ પર મળ્યા. – ઘણા લોકો દાઝવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા. – ઘટનાની જાણ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક BJP MLA માઈકલ લોબો સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. CM સાવંતનું નિવેદન સીએમએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે “આ દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી…
અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા
અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…
દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ
B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025 શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ તપાસ અને સ્ટિંગ ઓપરેશન કરતાં સ્પષ્ટ થયું કે કાયદાનું ઉલ્લંઘન કરીને ધજાગરા ઉડાવી રહ્યા છે..અને મોટો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવા પહોંચેલા પત્રકારોને PSO પાસેથી મળ્યો એવો જવાબ કે ‘જે થાય એ કરી લો!’ આવી ઉદ્ધતાઈ ભાષામાં ફરજ પ્રત્યેની બેદરકારી! આ અપમાનજનક વર્તન સહન કરી ન શકાય તેવી સ્થિતિમાં પત્રકારોએ 14449 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. આ ઘટના માત્ર એક સ્ટેશનની નથી, પોલીસ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂના ધંધા પાછળ કોણ છે અને કોણ…
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.” કોર્ટએ સ્પષ્ટ કર્યું કે— – OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ. – માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી;…
















