બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ

બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો વાયરલેસ ગેટ નજીક ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલના કાર્યાલય સામે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યું, જે સીધું સૈફુલના માથા પર પડ્યું. તેનું ઘટના સ્થળે જ મોત થયું.

સુરક્ષા અને તપાસ
ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશ્નર મસૂદ આલમે જણાવ્યું કે, હાલ હમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ અને પુરાવા તપાસી રહ્યા છે. મૃતક સૈફુલ મોઘબાજારમાં એક ઓટોમોબાઈલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો અને કોઈ સાથે શત્રુતા ન હતી. ક્રિસમસના તહેવાર પૂર્વે આ હુમલો આસપાસના બે મોટા ચર્ચોના નજીક થયો હોવાથી, પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ પર છે. તહેવાર દરમિયાન કોઈ મોટી હિંસક ઘટના નહીં થાય તે માટે વધારાના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે.

રાજકીય પ્રતિક્રિયા
જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહમાને ઘટનાની કડક નિંદા કરી અને કહ્યું કે, “કેટલાક શરારતી તત્વો જાણબૂઝીને દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે આવા હુમલાઓ કરી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે થઈ છે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર તારિક રહમાન લંડનથી બાંગ્લાદેશ પરત ફરવાના છે. આ હુમલો રાજકીય અને સુરક્ષા સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

RE-NEET 2026 પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ, દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર

દેશભરમાં આજે RE-NEET (NEET-UG) 2026 પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી આ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા દરમિયાન વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા…

રામ મંદિર દાન કેસમાં SITનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી યોગીને સોંપાયો, તપાસ વધુ તેજ

અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાન અને ફંડના ઉપયોગમાં કથિત ગેરરીતિના મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપ્યો છે. હવે…