ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે

લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી…

અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદે ભારે અસર પેદા કરી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અમદાવાદ સહિત ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 24 જુલાઈએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે…

અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’

રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…

દિલ્હીમાં ફરી હિંસક દેખાવો, જંતર-મંતર પાસે પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ

દિલ્હી NEET મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન તણાવભરી સ્થિતિ દિલ્હીમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ છે. NEET પરીક્ષાના મુદ્દે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ટૉલ્સ્ટૉય માર્ગ અને જંતર-મંતર નજીક અચાનક હિંસા ફાટી નીકળ્યાનો પોલીસનો દાવો છે. મળતી માહિતી અનુસાર, પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ઉગ્ર બન્યા હતા અને સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ તથા રેપિડ એક્શન ફોર્સ (RAF)ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસ અને RAF જવાનો પર પથ્થરો અને લાકડીઓથી હુમલાનો આરોપ પોલીસના જણાવ્યા મુજબ, ટૉલ્સ્ટૉય માર્ગ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસ અને RAFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર બન્યા…

અમદાવાદ: વીજળી ઘર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો ‘ખુલ્લેઆમ તોડ’? TRB જવાન ચેકિંગ કરે ને સાહેબ તમાશો જુએ!

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોની સુરક્ષા માટે તૈનાત ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી છે. અમદાવાદના ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીજળી ઘર ચાર રસ્તા બીટ પરથી ખાખીને દાગ લગાડતી એક કથિત ઘટના સામે આવી રહી છે. વીજળી ઘર ચાર રસ્તા બીટ પર નિયમોના નામે વાહનચાલકોની કનડગતની આશંકા.TRB જવાનો લાયસન્સ અને RC બુક ચેક કર્યા બાદ તોડબાજી કરતા હોવાનો આક્ષેપ.પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં બેસી તમાશો જોતા હોવાની ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે? અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ‘તોડ’ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.TRB જવાનો આગળ, સાહેબ સાઈડમાં! મળતી માહિતી મુજબ, વીજળી ઘર ચાર રસ્તા પર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને આગળ ધરીને આખી રમત રમવામાં આવી રહી છે. કાયદાકીય રીતે TRB…

ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!

પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર તે જ તર્જ પર હવે ગુજરાતમાં ‘112’ (જનરક્ષા નંબર) સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ સેવાનો સૌથી મોટો આકર્ષક પાસું તેનો ‘રિસ્પોન્સ ટાઈમ’ છે, જે 24 મિનિટથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેવાયો છે. એક જ કોલ પર ત્રિવેણી સંગમ: પોલીસ, ફાયર અને મેડિકલ અત્યાર સુધી નાગરિકોને પોલીસ માટે 100, મેડિકલ સહાય માટે 108 અને આગ જેવી દુર્ઘટનામાં 101 નંબર અલગ-અલગ ડાયલ કરવા પડતા હતા. આ મૂંઝવણ દૂર કરતા હવે માત્ર ‘112’ ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભલે તે લૂંટ-ફાટની…

પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…