પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

એરિઝોનામાં ગોળીબાર દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ અને અધિકારીનું નીપજ્યું મોત

અમેરિકાના એરિઝોનામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે, જેમાં પબ્લિક સેફ્ટી વિભાગના રેન્જર હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના ફ્લેગસ્ટાફ વિસ્તારમાં સક્રિય ગોળીબારની સ્થિતિ દરમિયાન બની, જ્યારે હેલિકોપ્ટર ક્રૂ સ્થાનિક પોલીસને હવાઈ સુરક્ષા પૂરી પાડવા માટે કાર્યરત હતું. ક્રેશના પરિણામે પાયલટ અને હેલિકોપ્ટરમાં સવાર એક પોલીસ અધિકારી/પેરામેડિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં શોકની લહેર ફેલાવી છે. વિભાગના સાર્જન્ટ કેમેરોન લીએ જણાવ્યું કે, બંને જવાનો અન્ય લોકોના જીવ બચાવવા માટેના મિશનમાં હતા અને આ અકસ્માત અત્યંત દુઃખદ છે. પાયલટ અને અધિકારીના નામ હાલ ગુપ્ત રાખવામાં આવ્યા છે જેથી પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા તત્કાળ તપાસ શરૂ કરવામાં…

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ નોંધાવ્યો, ત્યારે કારમાં સવાર યુવકો ઉગ્ર બન્યા અને તેમને ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. જીવ બચાવવા માટે નિવૃત્ત સૈનિક કારના બોનેટ પર લટકી ગયા હતા, છતાં આરોપી ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે દોડાવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓએ વડીલને કારના બોનેટ પર લટકાવીને લગભગ ૫૦૦ મીટર સુધી ગાડી ચલાવી હતી. આ સમગ્ર ઘટનાનો 16 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક સફેદ રંગની કાર ઝડપથી આગળ વધી રહી છે અને તેના બોનેટ પર એક વ્યક્તિ જીવ બચાવવા માટે સંઘર્ષ કરી…

માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી…

માઘ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, સેક્ટર-5ના નારાયણ શુક્લ ધામ કેમ્પમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. માઘ મેળા વિસ્તારના સેક્ટર-5માં આવેલા નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગ લાગી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કેમ્પમાં આવેલા તમામ ટેન્ટ અને આસપાસની દુકાનો બળીને ખાખ થઈ ગઈ. કેમ્પમાં હાજર 50થી વધુ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા મળતી માહિતી અનુસાર, નારાયણ શુક્લ ધામ કેમ્પમાં કુલ 15 ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં આશરે 50થી વધુ શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ રહેતા હતા. આગ લાગતાની સાથે જ ધુમાડા અને જ્વાળાઓ ફેલાતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. તમામ લોકો તાત્કાલિક કેમ્પના ગેટ તરફ દોડી ગયા અને સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી. આગ જોઈને સમગ્ર માઘ મેળા…

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક…

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના

બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ પર અચાનક ગોળીબાર કર્યો. ગોળી લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. મૃતક કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામનો રહેવાસી હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રો મુજબ, બજારમાં રહેલા રાણા પ્રતાપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદના પગલાં ગોળીબાર બાદ બજાર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મણિરામપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ સમુદાય પર હિંસાના વધતા કેસ આ ઘટના…

રાજકોટ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ, એન્જિનિયરિંગ એસોસિએશન હડતાળ પર

રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18માં પેવિંગ બ્લોકના કામ દરમિયાન એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો, જેના પગલે મનપાના ઇજનેરોમાં રોષ ફેલાયો છે. મામલામાં જણાવાયું છે કે, રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલચાલી બાદ લાફો માર્યો હતો. પેવિંગ બ્લોકના કામ અંગે કોન્ટ્રાક્ટરને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ‘વાયબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેની સાથે મળવા ગયા નહોતા. આ વાતને લઈને કોન્ટ્રાક્ટરે ગુસ્સો કર્યો અને હુમલો કરી દીધો. હડતાળની જાહેરાત ધવલભાઈ પર થયેલા આ હુમલાના વિરોધમાં RMC એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરવામાં આવ્યું છે…

ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના બનાવો અપહરણ, દારૂ, ડ્રગ્સ, લુખ્ખાગીરી, દાદાગીરીના અનેક કિસ્સા નશાખોરી અને કૌભાંડથી સમાજનું થઇ રહ્યું છે પતન દારૂ અને ડ્રગ્સથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય ભ્રષ્ટાચારથી ન્યાય પ્રણાલી પર આંચકો સમાજમાં સુરક્ષાની લાગણીનો અભાવ ગુનાખોરી સામે જનજાગૃતિની તાતી જરૂર સુરક્ષિત અને શાંતિપૂર્ણ ગુજરાત માત્ર એક સપનું..! Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in