IOA પ્રમુખ પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અવસાન, PM મોદીએ ફોન પર આપી સાંત્વના
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા, પરિવારના સૂત્રોએ પુષ્ટિ આપી. આ સમાચાર સાંભળીને પીએમ મોદીએ પીટી ઉષા સાથે વાત કરી અને આ દુઃખની ઘડીમાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આ મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી. પી.ટી. ઉષાના પતિ, વી. શ્રીનિવાસન, 67 વર્ષના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વી. શ્રીનિવાસન શુક્રવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. તેમના અચાનક નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પીટી ઉષાને હંમેશા તેમના પતિનો ટેકો મળ્યો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ કર્મચારી વી. શ્રીનિવાસને તેમની પત્ની પીટી…







