જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ સખ્ત: CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ

જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ અને પોલીસ કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ખંડપીઠે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ, બોડી કેમેરાની રેકોર્ડિંગ અને સંબંધિત તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા પણ નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કાર્યવાહી ગેરબંધારણીય ગણાવી અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવવા તેમજ તેમના પર લાઠીચાર્જ કરવો બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. વકીલ એન. હરિહરને કોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને…

અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનારા તમામને કોર્ટે જામીન પર મુક્ત કર્યા

અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્વનું છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા. -> અલ્લુ અર્જુનના ઘરે જોરદાર હંગામો થયો :- અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી…

પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુનના પિતાએ ઘરે હુમલા અંગે મૌન તોડ્યું, આપી મોટી ચેતવણી!

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહેલી આ ફિલ્મને લઈને અલ્લુ અર્જુનનો વિવાદ અટકતો નથી. તાજેતરમાં સંધ્યા થિયેટર નાસભાગમાં જામીન પર છૂટેલા અલ્લુ પર ગઈકાલે તેના હૈદરાબાદના ઘરે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. હવે અલ્લુ અર્જુનના પિતાએ પહેલીવાર આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. -> અલ્લુ અર્જુનના ઘર પર હુમલો :- અહેવાલો અનુસાર, 22 ડિસેમ્બરે, ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU JAC) ના સભ્યોએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં અલ્લુ અર્જુનના ઘર પર કથિત રીતે પ્રદર્શન કર્યું અને પથ્થરમારો કર્યો. સૂત્રોચ્ચાર કર્યા બાદ તેમના ઘર પર ટામેટાં ફેંકવામાં આવ્યા હતા. કારણ એ છે કે…